તા.૨ સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદ ખાતે ડૉ.આંબેડકર દલિત પરિષદ જાહેર ચર્ચા-સભાનું આયોજન કરાયું હતું જેમાં સંવિધાન બચાવો ત્રિરંગો લહેરાવો વિષય ઉપર વાર્તાલાપ થયો હતો. ઉપસ્થિત સંસ્થાનાં પ્રમુખ ભાનુભાઈ ડી. પરમારે ઉપસ્થિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ ચર્ચાસભામાં પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, નિવૃત્તિ ડીજીપી રાજન પ્રિયદર્શી, ડૉ. નીતિન ગુર્જર, એડવોકેટ કેતન બૈરવા, કૈલાશબેન પરમાર (વડોદરા જિલ્લા પ્રમુખ) ઉપસ્થિત રહ્યાં હતાં અને બંધારણનું શું મહત્વ છે, બંધારણમાં થઈ રહેલાં સુધારા-વધારા બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહેમાનોએ બંધારણનું આપણાં દેશમાં શું મહત્વ છે અને દલિત સમાજ માટે કેટલું હિતાવહ છે તે અંગે વિશેષ ચર્ચા કરી હતી. ઉપસ્થિત લોકોએ પણ પ્રશ્નોત્તરી દ્વારા જુદા જુદાં મુદ્દાઓની છણાવટ કરી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ