નર્મદા જિલ્લાની યોજનાકીય બાબતોની કામગીરી અંગે તા. ૨૨ મી મે, ૨૦૧૭ ને સોમવારના રોજ બપોરે ૩=૦૦ કલાકે રાજપીપલા જિલ્લા કલેક્ટરાલય ખાતે રાષ્ટ્રીય આદિજાતિ આયોગના સભ્યશ્રી હર્ષદભાઇ વસાવાના અધ્યક્ષપદે બેઠક યોજાશે. આ બેઠકમાં દરેક વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી માહિતી સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેક્ટરશ્રી, નર્મદા તરફથી જણાવાયું છે.