Aapnu Gujarat
બ્લોગ

ભાજપ પાસે મજબૂત પાટીદાર નેતાના વિકલ્પનો અભાવ

ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે રાજકીય અંતર વધતું હોવાનું પક્ષના નેતાઓ, મંત્રીઓ અને અધિકારીઓ પણ જાણી ચૂક્યા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જાહેરમાં એકબીજાનો બચાવ કરી રહ્યાં છે પણ તેમની નારાજગી હવે આમ પ્રજા વચ્ચે પણ છૂપી રહી નથી. વિજયભાઈ રૂપાણી પ્રથમવાર વિદેશ પ્રવાસ જવા સમયે પણ નીતિનભાઈએ શુભેચ્છા આપવાનું ઉચિત સમજ્યું ન હતું. નીતિનભાઈએ આ બાબતે લોકસભાની ચિંતન શિબિરમાં વ્યસ્ત હોવાનું બહાનું કાઢ્યું હતું પણ તેમની નારાજગી કોઈની પણ છૂપી નથી. નીતિનભાઈ પટેલ હાલમાં ભાજપની મજબૂરી છે કે ભાજપ પાસે વિકલ્પનો અભાવ છે. નીતિનભાઈ પણ અપમાનના ઘૂંટડા સહન કરીને ભાજપ સાથે જોડાઈ રહ્યાં છે. કડીના ધારાસભ્યમાંથી મહેસાણાને હોમગ્રાઉન્ડ બનાવી હાલમાં રાજ્યમાં ઉચ્ચસ્થ પદે બીરાજતા નીતિનભાઈ માટે સોનેરી સમય છે પણ તેમની અવગણના ભાજપ દ્વારા સતત કરાઈ રહી હોવાનું પણ સર્વવિદીત છે. આમ છતાં એક પાયાના કાર્યકરની જેમ નીતિનભાઈ ભાજપ સાથે જોડાઈ રહ્યાં છે. દર વખતે નારાજગીના સમાચાર વચ્ચે નીતિનભાઈ મીડિયામાં આવીને ખુલાસો કરી દે છે. નીતિનભાઈ એ મીડિયાપ્રેમી માણસ હોવાથી હાર્દિક પણ આ બાબતે અનેકવાર જાહેરમાં ટોન્ટ મારી ચૂકયો છે. અમિતશાહને પણ નીતિનભાઈ સાથે ખાસ પ્રેમ ન હોવા છતાં પણ નીતિનભાઈને સાચવવા પાછળ પણ ઘણા કારણો છે.ગુજરાતમાં પાટીદાર એ મહત્વનું ફેક્ટર છે. નીતિનભાઈ પટેલ એ પાટીદાર નેતા ગણાય છે. હાર્દિકને એ ભલે નીતિનભાઈની અવગણના કરે પણ આજે પણ પાટીદારોમાં નીતિનભાઈનો પડ્યો બોલ ઝિલાય છે. ભાજપ પાસે પાટીદારો સામે આગળ કરી દેવાનું નીતિનભાઈ શસ્ત્ર છે. પાટીદાર આંદોલન સમયે નીતિનભાઈનો ભાજપે ઘણો ઉપયોગ કર્યો છે. આનંદીબેનનું પણ પાટીદાર સમાજમાં ઘણું વર્ચસ્વ છે. તેમને પણ અમિતશાહ સાથે બારમો ચંદરમાં હોવાનું જગજાહેર છે. અમિતશાહની અવગણના છતાં નીતિનભાઈએ ભાજપનું પલ્લું પકડી રાખ્યું છે.
ભાજપ પણ સારી રીતે જાણે છે કે, પાટીદાર આંદોલન સામે બોલે તેવો એક માત્ર નેતા એ નીતિનભાઈ છે. ભાજપ આંતરિક ગૂંચવણોમાં પ્રદિપસિંહ અને ભૂપેન્દ્રસિંહનો ઉપયોગ કરે છે પણ પાટીદારોના પ્રશ્ને નીતિનભાઇને આગળ કરાય છે. આમ જ્યાં સુધી પાટીદાર આંદોલન ચાલુ છે. ત્યાં સુધી ભાજપ પાસે પણ નીતિનભાઈનો કોઈ ઓપ્શન નથી.ગુજરાતમાં આનંદીબેન પટેલની સરકાર ગયા બાદ નવા મુખ્યમંત્રીની શોધ ચાલી રહી હતી. આ સમયે છેલ્લી ઘડી સુધી મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ ફાઇનલ હતું. પરંતુ દિલ્હીથા એવા પાસા પલટાયા કે છેલ્લા થોડાક જ કલાકોમાં નીતિન પટેલના બદલે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવી દેવાયા. નીતિનભાઈ પટેલ નારાજ ન થાય એટલે તેમને નાયબ મુખ્યમંત્રી બનાવી દેવાયા. એ સમયે પણ સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા અને સમર્થકો ખૂબ નારાજ થઈ ગયા હતા. તે સમયે પણ નીતિન પટેલને અપમાનનો કડવો ઘૂંટડો પીવો પડ્યો હતો. આમ છતાં નીતિનભાઈએ આ અપમાનને સહન કરી લીધું હતું.૨૦૧૭માં ગુજરાતમાં ફરીથી રૂપાણી સરકાર બની ત્યારે ભાજપના સિનિયર નેતા અને વર્ષોથી મંત્રી પદે રહી ચૂકેલા નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેમને નાણાં ખાતું ન આપતા નીતિન પટેલ નારાજ થઈ ગયા અને તે સમયે પણ તેમને અપમાન સહન કરવું પડ્યું હતું. પરંતુ પક્ષના કેટલાક નેતાઓની સમજાવટ બાદ નીતિન પટેલને નાણાં ખાતું આપવામાં આવ્યું હતું. આ સમયે નીતિનભાઈની નારાજગી એટલી હદે એ હતી કે તેઓ નવાજૂની કરે તે પૂર્વે ભાજપે શાનમાં સમજીને ખાતાની ફાળવણી કરી દીધી. આમ છતાં આજે પણ નીતિનભાઈના ખાતા વિજય રૂપાણી પાસે છે પણ નીતિનભાઈ ચૂપચાપ છે.અપમાનના બે-બે ઘૂંટડાઓ પી ગયા બાદ તાજેતરમાં ફરીવાર નીતિન પટેલને આ જ રીતે વધુ એક અપમાન સહન કરવું પડ્યું છે. ૨૬ જૂનના રોજ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈઝરાયેલના પ્રવાસે ગયા, ત્યારે તેમને કાર્યકારી મુખ્યમંત્રીનો ચાર્જ સોંપવામાં આવ્યો નહોતો. સામાન્ય રીતે મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસ દરમિયાન કાર્યકારી મુખ્યમંત્રી પદ નાયબ મુખ્યમંત્રીને સોંપવામાં આવે છે પરંતુ રૂપાણીએ મુખ્યમંત્રી પદ નીતિન પટેલને સોંપવાને બદલે માત્ર છ દિવસ માટે વધારાના ત્રણ ખાતા આપીને રવાના થઇ ગયા છે. આમ ૬ દિવસના મુખ્યમંત્રી બનાવવામાં પણ ભાજપ અને રૂપાણી તૈયાર ન થયા. આમ છતાં રૂપાણી સરકારના શાસનમાં અપમાન સહન કરી રહેલા નીતિન પટેલ સામે ભાજપના કાર્યકરો પણ વિચારી રહ્યા છે કે, આગામી દિવસોમાં નીતિનભાઇ પટેલ કંઈક નવાજૂની કરશે કે પછી હજુ પણ આ સરકારમાં સાથે રહીને અપમાનના ઘૂંટડાઓ પીતા જ રહેશે. હાલમાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. પાટીદાર આંદોલન અને પાટીદારોને નારાજ કરવા ભાજપને પણ પોષાય તેમ નથી. નીતિનભાઈ એ પાટીદાર નેતા છે. એટલે હાલમાં ભાજપ પાસે નીતિનભાઈ સિવાય વિકલ્પ નથી કે નીતિનભાઈ પાસે પણ ભાજપ સામે પોતાનું ધાર્યું કરાવવાનું કોઈ કારણ નથી કારણ કે નાયબ મુખ્યમંત્રીનું પદ એ નીતીનભાઈ માટે નીચું તો નથી જપ..ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે રાજકીય અંતર વધતું હોવાનું પક્ષના નેતાઓ, મંત્રીઓ અને અધિકારીઓ પણ જાણી ચૂક્યા છે, કારણ કે વિજય રૂપાણીના નિર્ણયોને નીતિન પટેલ ક્યારેક ગણકારતા પણ નથીતો નીતિન પટેલના કેટલાક સૂચનોને વિજય રૂપાણી અવગણી રહ્યા છે. વિજય રૂપાણી અને નીતિન પટેલ વચ્ચેના અંતરની એક એવી પણ માહિતી બહાર આવી છે કે મુખ્યમંત્રી દ્વારા સહી કરવામાં આવેલી ફાઈલ નાણાવિભાગમાં નીતિન પટેલ પાસે પહોંચે તો નીતિનભાઈ સહી કરવાને બદલે અટકાવી રાખે છે. આમ વિજય રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે વધી રહેલું અંતર આગામી દિવસોમાં ભાજપમાં ભૂકંપ સર્જે તો નવાઈ નહિં.

Related posts

क्या विधायक व पूर्व विधायक में पीटाई का वायरस फैल रहा है ?

aapnugujarat

जानकारी काबीले तारीफ है… गौर किजीये !

aapnugujarat

મહિલા પાયલોટો ઉપર યાત્રી વિશ્વાસ રાખતાં નથી : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1