Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસનાં નેતૃત્વએ સરદાર પટેલની જેમ મારું પણ અપમાન કર્યું : શહેઝાદ પુનાવાલા

રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની હલચલ પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા શહેઝાદ પુનાવાલાએ કોંગ્રેસનો વિરોધ કર્યો છે. રવિવારે તેમણે કોંગ્રેસ પક્ષ પર આરોપ લગાવતાં કહ્યું કે, કોંગ્રેસ પક્ષે સરદાર પટેલની જેમ તેમનું પણ અપમાન કર્યુ છે.
શહેઝાદ પુનાવાલાએ કહ્યું કે, ‘ કોંગ્રેસ નેતૃત્વ દ્વારા સરદાર પટેલનું અપમાન કરવામાં આવ્યું હતું તો આજે તેમને પણ અપમાન જેવું જ લાગી રહ્યું છે.’પુનાવાલાએ કહ્યું કે, તેમણે ફોન કર્યો હતો કે રાહુલજી ઉમેદવારી પત્ર ભરવા જશે આ સ્થિતિ ગંભીર છે. પાર્ટીને સુધારવાના પ્રયત્નો થવા જોઈએ, પરંતુ સરદાર પટેલની જેમ તેમનું પણ અપમાન કરવામાં આવ્યું. મહત્વનું છે કે, આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવી રવિવારે ગુજરાતના ચૂંટણી પ્રચાર દરમ્યાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જોકે, પીએમ મોદી બાદ શહેઝાદ પુનાવાલાએ પ્રતિક્રિયા આપી કોંગ્રેસને આડેહાથે લીધી હતી.

Related posts

વૈષ્ણોદેવી આવતા ભાવિકો પાસેથી શ્રાઈન બોર્ડ એક રૂપિયો લઈ શકે છે : સુપ્રીમ

aapnugujarat

રાહુલ ગાંધીની બીજાના ખભા પર બંદૂક મુકી ચલાવવાની આદત છે : SAMBIT PATRA

editor

ब्रिटिश PM बोरिस जॉनसन गणतंत्र दिवस समारोह में होंगे भारत के चीफ गेस्ट

editor

Leave a Comment

UA-96247877-1