ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૭ અન્વયે નર્મદા જિલ્લામાં તા.૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ યોજાનારી ચૂંટણી સંદર્ભે ૧૪૮-નાંદોદ (અ.જ.જા.) વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી રાજપીપલાએ તા. ૧૪ મી નવેમ્બર, ૨૦૧૭ ના રોજ સદરહું ચૂંટણી માટે પ્રસિધ્ધ કરેલી ચૂંટણી અંગેની નોટીસમાં જણાવ્યા મુજબ ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યક્તિ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી, રાજપીપળાને પ્રાંત અધિકારીની કચેરી, રાજપીપલા ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને મામલતદારશ્રી, નાંદોદને મામલતદાર કચેરી, નાંદોદ ખાતે મોડામાં મોડું તા.૨૧/૧૧/૨૦૧૭ સુધીમાં કોઇપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧=૦૦ વાગ્યાથી બપોરના ૩=૦૦ વાગ્યા સુધીમાં નામાંકનપત્રો પહોંચાડી શકશે. નામાંકન પત્રના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે. નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, રાજપીપલા ખાતે તા.૨૨/૧૧/૨૦૧૭ ના રોજ ૧૧=૦૦ વાગ્યે કરવામાં આવશે. ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટીસ પહોંચતી કરવા ઉમેદવારે લેખિતરૂપે અધિકૃત કર્યા હોય તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ ઉપરના ફકરા-(૨) માં દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તા.૨૪/૧૧/૨૦૧૭ ના રોજ બપોરના ૩=૦૦ વાગ્યા પહેલા પહોંચાડી શકશે. ચૂંટણી લડાશે તો મતદાન તા.૯/૧૨/૨૦૧૭ ના રોજ સવારના ૮=૦૦ થી સાંજના પ=૦૦ કલાક વચ્ચે થશે, તેમ ઉક્ત ચૂંટણીની નોટીસમાં જણાવાયું છે.