નર્મદા જિલ્લામાં આગામી તા.૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ યોજાનારી વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૧૭ અન્વયે આદર્શ આચારસંહિતાના અમલ માટે ૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિસ્તાર માટે મદદનીશ ખર્ચ નિરીક્ષક તરીકે કેવડીયા કોલોનીના પેટા તિજોરી અધિકારીશ્રી આર.કે. રાણા અને ૧૪૮- દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તાર માટે દેડીયાપાડાના પેટા તિજોરી અધિકારીશ્રી બી.ડી.વસાવાની જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી નિમણૂંક કરીને તે અંગેની જરૂરી કામગીરી-જવાબદારીઓ સોંપવામાં આવી છે.