Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં સૌ પ્રથમ વખત મલ્ટિમીડિયા ભાગવત કથા

ભાગવત વિદ્યાપીઠ ખાતે ગુજરાતમાં સૌપ્રથમવાર મલ્ટીમીડિયાના માધ્યમથી તા.૧૪-૯-૨૦૧૭થી તા.૨૦-૯-૨૦૧૭ દરમ્યાન પૂત.શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજી(મુંબઇ) દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહામનોરથ અંતર્ગત તા.૧૪-૯-૨૦૧૭ના રોજ બપોરે ત્રણ વાગ્યે પૂ.પૂ.શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી(પૂ.દાદાજી) સંપાદિત શ્રીમદ્‌ ભાગવતના ૧૧મા સ્કંધનું અનાવરણ જસ્ટિસ ડો.જે.એ.ભટ્ટ(નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ), ડો.પંકજભાઇ એલ.જાની(કુલપતિ, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી), અંકિત ત્રિવેદી(સાહિત્યકાર-કવિ) અને ડો.શૈલેષભાઇ ઠાકર(ગ્લોબલ લીડરશીપ ગુરૂ)ના હસ્તે કરવામાં આવશે. પ.પૂ.શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી જન્મશતાબ્દી વર્ષ સમાપન મનોરથ નિમિતે આ મલ્ટીમીડિયા(ડીઝીટલ) કથાનું આયોજન વિશેષ કરીને સોલા ભાગવતમાં અભ્યાસ કરતાં ઋષિકુમારોને ભવિષ્યમાં અતિઉપયોગી નીવડે તે હેતુથી કરવામાં આવ્યું છે. સાત દિવસના આ મહામનોરથમાં અનેક સંતો-મહંતો, પંડિતો, પ્રાચ્ય ઋષિકુમારો સહિતના મહાનુભાવોનો નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમ્યાન પ્રતિદિન સાંજે ૪-૦૦થી ૭-૦૦ દરમ્યાન ભાગતવ વિદ્યાપીઠ, સોલા ખાતે ઉજવણી કરવામાં આવશે.

Related posts

ड्राइविंग लाईसेंस के लिए फोर्म अब ऑनलाइन भरना पड़ेगा

aapnugujarat

૨૩ નવેમ્બરના રોજ પ્રથમ મુહૂર્ત બાદ લગ્નોની ઝાકમઝોળ શરૂ થશે

aapnugujarat

સુરતમાં શેરબજારના વેપારીએ કર્યો આપઘાત

editor

Leave a Comment

UA-96247877-1