Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાક.માં ચૂંટણીના એક દિવસ પહેલાં બે બ્લાસ્ટ : ૨૮નાં મોત

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો હતો, જેમાં 15 લોકોનાં મોત થયાં હતાં અને 30 લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ અનુસાર, વિસ્ફોટ અપક્ષ ઉમેદવાર અસફંદ યાર ખાન કાકરની ઓફિસની બહાર થયો હતો. બ્લાસ્ટ વખતે કાકર ઓફિસમાં હાજર ન હતા.

એ જ સમયે બીજો બ્લાસ્ટ બલૂચિસ્તાનના કિલા સૈફુલ્લામાં JUI-F પાર્ટીના કાર્યાલયની બહાર થયો હતો. આ હુમલામાં 13 લોકોનાં મોત થયાં છે, જ્યારે 10 ઘાયલ થયા છે. બંને વિસ્ફોટમાં કુલ 24 લોકોનાં મોત થયાં છે.

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ જનરલ અને બધા પ્રાંતમાં ચૂંટણી છે. પાકિસ્તાનના ઇલેક્શન કમિશને હુમલાને લઈને બલૂચિસ્તાનના ચીફ સેક્રેટરી અને પોલીસ પાસે રિપોર્ટ માગ્યો છે.

બલૂચિસ્તાનના કેરટેકર ઈન્ફોર્મેશન મિનિસ્ટર જાન અચકઝાઈએ કહ્યું- પહેલા બ્લાસ્ટની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટક સામગ્રી બાઇકમાં રાખવામાં આવી હતી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જોકે બીજા બ્લાસ્ટનું કારણ બહાર આવ્યું નથી.

અહીં બલૂચિસ્તાનના મુખ્યમંત્રી અલી મર્દાન ખાન ડોમકીએ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું- આવી ઘટનાઓ શાંતિપૂર્ણ ચૂંટણીપ્રક્રિયાને નબળી પાડવાનું ષડ્યંત્ર છે. હુમલામાં સામેલ લોકોને આકરી સજા આપવામાં આવશે. અમે ઘાયલોની મદદ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ.

8 ફેબ્રુઆરીએ યોજાનારી નેશનલ અને એસેમ્બ્લીની ચૂંટણી પહેલાં પાકિસ્તાનમાં હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. જિયો ન્યૂઝ અનુસાર, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વામાં તાજેતરના સમયમાં આતંકી હુમલાઓ તેજ થયા છે. બલૂચ લિબરેશન આર્મી બલૂચિસ્તાનમાં અને પાકિસ્તાની તાલિબાન ખૈબરમાં હુમલાઓ કરી રહી છે.

આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે થોડા દિવસો પહેલાં સેનેટમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીને મોકૂફ રાખવાની માગ કરવામાં આવી હતી. તાજેતરના સમયમાં આતંકવાદ અને હિંસાની વધી રહેલી ઘટનાઓ કોઈ ષડ્યંત્ર તરફ ઈશારો કરી રહી છે.

5 ફેબ્રુઆરીની સવારે બલૂચિસ્તાનમાં ચૂંટણીપંચની ઓફિસની બહાર વિસ્ફોટ થયો હતો. પાકિસ્તાની મીડિયા એઆરવાય ન્યૂઝ અનુસાર ચૂંટણીપંચના ગેટની બહાર બોમ્બવિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ કોણે કરાવ્યો અને શા માટે થયો એની માહિતી મળી શકી નથી.

5 ફેબ્રુઆરીએ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના દરબાર શહેરમાં એક પોલીસ સ્ટેશન પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 10 પોલીસકર્મીનાં મોત થયાં હતાં અને 6 ઘાયલ થયા હતા. પોલીસ ચીફ અખ્તર હયાતે ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું – 30થી વધુ આતંકવાદીએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. તેમણે પોલીસ સ્ટેશનને ચારે બાજુથી ઘેરી લીધું અને ગ્રેનેડ ફેંક્યા. આ પછી ફાયરિંગ શરૂ થયું.

31 જાન્યુઆરીએ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ઉમેદવારની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ખૈબર પખ્તૂનખ્વાના બજૌર જિલ્લામાં બની હતી. માર્યા ગયેલા ઉમેદવારનું નામ રેહાન ઝેબ ખાન હતું.

રેહાનને ઈમરાનની પાર્ટીનું સમર્થન હતું અને તે નેશનલ એસેમ્બ્લી સીટ નંબર 8 પરથી ઉમેદવાર હતો. હુમલાખોરો બાઇક પર આવ્યા હતા અને ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. ‘જિયો ન્યૂઝ’ અનુસાર, પોલીસને હજુ સુધી હુમલાખોરો વિશે કોઈ કડી નથી મળી.

Related posts

સિંધુ જળ સંધિ પર ભારત વિરુદ્ધ અભિયાન શરૂ કરશે પાકિસ્તાન : રિપોર્ટ

aapnugujarat

હું ભારતના માર્ગ પર ચાલવા માંગતો હતો : ઈમરાન ખાન

aapnugujarat

एयरस्पेस बंद करने से पाक. को हुआ 8 अरब रुपये से अधिक का नुकसान

aapnugujarat
UA-96247877-1