Aapnu Gujarat
ગુજરાત

જૂનાગઢમાં પ્રેમ પ્રકરણના કારણે યુવાનની હત્યા

જૂનાગઢમાં પ્રેમિકાને મળવા ગયેલ પ્રેમીની ત્રણ શખ્સોએ ઘાતકી હત્યા કરી લાશને જંગલ વિસ્તારમાં ફેંકી દઈ મોટર સાયકલને તળાવમાં નાખી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પાપનો ઘડો ફૂટતા જૂનાગઢ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને મરણ જનાર યુવકના પિતાની ફરીયાદના આધારે ત્રણ હત્યારા સામે ગુનો નોંધાયો છે અને પોલીસે હત્યારાઓને ઝબ્બે કરવા તજવીજ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ શહેરના તુલજા ભવાની હોસ્પિટલની પાછળના ભાગે ગોકુલનગર મંગલમ એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા મનસુખભાઈ દેવશીભાઈ ચૌહાણના દિકરા સંજયને ઝાંઝરડા ચોકડી નજીકના રોનક એપાર્ટમેન્ટ પાસે ઝુપડામાં રહેતા મૂળ દાહોદના વતની એવા સંજય ભુરીયાના મામાની દિકરી દિપા સાાાથેે પ્રેમસંબંધ થઇ ગયેલ હોય જેથીી સંજય અને દીપા બન્ને અવાર નવાર મળતા હતાં, જેનું મનદુઃખ રાખી, સંજય ભુરીયો તથા મુળ ગામ ભગવાનપર, તા. લીંબડીના રહેવાસી અને જૂનાગઢના જલારામ મંદિર પાછળ રહેતા અજીત રમેશ તેમજ ઝાંઝરડા ચોકડી પાસે ઝુપડામાં રહેતા યુવરાજ નામના ત્રણેય શખ્સો એ આગોતરૂ આયોજન કરી, સંજય જ્યાંરે તેનીી પ્રેમિકા દીપાને મળવા દીપાના ઝુપડે જતા ત્રણેય આરોપીઓએ ભેગા મળી, સંજયને એક સંપ કરી, અજીત એ સંજયને મોઢે ડુચો દઇ પકડી રાખી, આરોપી સંજય ભુરીયાએ માથામાં ધોકા જેવા પાઈપથી તથા યુવરાજે માથામાં પથ્થર મારી, ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી સંજયનુંંં ઢીમ ઢાળી દીધુ હતું.બાદમાં યુવરાજે બનાવની જાણ ન થાય તે માટે સંજયની લાશ બાવળના કાટ જંગલમાં અને મોટર સાયકલ તળાવમાં નાખી દીધી હતી, જ્યારે સંજયનો મોબાઇલ ફોન તથા ચપ્પલ અજીત તથા સંજય ભુરીયાના કપડા સાથે તેઓએ ત્યાં સળગાવી દઇ, પુરાવાઓ મટાડી દીધા હતા.
આ સનસનીખેજ હત્યા ની જુનાગઢ વિભાગીય ડિ.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાએ અબ તક સાથેની ખાસ વાતચીતમાં વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, મરણ જનાર સંજય અવાર-નવાર ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જતો હતો અને તેમના અગાઉ લગ્ન પણ થઇ ચુક્યા હતા અને તેમાં છૂટાછેડા થયા હતા ત્યારે ગત તારીખ ૧૬ એપ્રિલ થી તે ઘરેથી નીકળી ગયો હતો.પરંતુ બાદમાં તેમનું મોટરસાયકલ તળાવ નજીક લોક કરેલી હાલતમાં મરણ જનાર સંજયના પરિવારજનોને મળતા તેમણે જૂનાગઢ પોલીસમાં જાણવા જાેગ નિવેદન આપ્યું હતું. જે અંગે જૂનાગઢના વિભાગીય ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન નીચે જુનાગઢ એ ડિવિઝન પીઆઈ આર.એસ. પટેલ સહિતના સ્ટાફે ટેકનિકલ્સની મદદથી તપાસ હાથ ધરતાં મરણ જનાર સંજયને છેલ્લે તેની પ્રેમિકા સાથે વાત થયા હોવાનું ખુલતા પોલીસે આ બાબતે ખૂબ જ ચોકસાઇ પૂર્વક ઝીણવટ ભરી તપાસ આદરી હતી.શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરતા હત્યાના એક આરોપી શખ્સે પોલીસની પૂછપરછમાં ભાંગી જઈ પોપટ બની તમામ સનસનીખેજ હકીકતો જણાવતાં આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો અને પોલીસે મરણ જનાર સંજયના પિતા મનસુખભાઈ દેવશીભાઈ ચૌહાણ ની ફરિયાદ લઇ આ હત્યા કેસમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી હત્યારા શખ્સોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Related posts

નેશનલ હાઈવે પર ટ્રેલરે ભયજનક ટર્ન લેતા એસટી બસ સાથે ટક્કર, ઘટના કેમેરામાં થઈ કેદ

editor

વિરમગામમાં આશા બહેનોને ‘સપ્તધારાથી સ્વાસ્થ્ય’ તાલિમ અપાઈ

aapnugujarat

રામ મંદિર અયોધ્યામાં બનવું જોઇએ : રામદેવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1