ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, સુરત ખાતે 27 માર્ચ2022 ના રોજ રાજસ્થાન મહાસભા દ્વારા રાજસ્થાન દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે “મ્હારો માન રાજસ્થાન” કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, રાજસ્થાનમાં પણ રાજસ્થાન દિવસનો આવો ભવ્ય કાર્યક્રમ યોજાયો નહી હોય. આ કાર્યક્રમમાં રાજસ્થાની સંસ્કૃતિની ભવ્ય ઝલક જોવા મળે છે. દેશની રક્ષા માટે કુરબાની આપવી તે રાજસ્થાનનો ઇતિહાસ રહ્યો છે
મહારાણા પ્રતાપનું માત્ર નામ લેવાથી રોમ રોમ જાગી ઉઠે છે
દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધને 6 કલાક સ્થગિત કરી આપણા દેશના ફસાયેલા વિદ્યાર્થીઓને વતનમાં સલામત રીતે પાછા લાવ્યા છે. આ એટલે થયું છે કે મોદી હે તો મુમકીન હે…