શૈલેષ વાળા, ગીર-સોમનાથ
ગીર વિસ્તારમાં ભારે વરસાદથી સરસ્વતી નદીમાં નવા નીર આવતા યાત્રાધામ પ્રાચી તીર્થ નુ સુવિખ્યાત માધવરાયજી પ્રભુ મંદિર પાણીમાં ગરકાવ થયા.સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ મા વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ ચાલુ છે અને ગીર વિસ્તારમાં ભારે વરસાદ થી સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ની પૂર્વ વાહિની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને પૂર આવવાની સાથે સુવિખ્યાત માધવરાયજી પ્રભુજી મંદીર પાણીમા જળમગ્ન થયું.પુર આવતા જ સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ.આ પૂરને જોવા ગામલોકો ઉમટ્યાં હતા.