બોલિવુડની ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણની નવી ફિલ્મ પદ્માવતિ જુદા જુદા કારણોસર હાલમાં ભારે ચર્ચામાં છે. હવે કેટલાક નવા કારણોસર વધુ ચર્ચા જાગી છે. ફિલ્મમાં કામ કરી રહેલા કલાકારોના લુક જારી કરવામાં આવ્યા બાદ આની ચર્ચા છે. તમામ ટોપ કલાકારોના લુક જારી કરવામાં આવ્યા બાદ આને લઇને ઉત્સુકતા વધી ગઇ છે. ફિલ્મ દરમિયાન રોયલ લુકમાં દીપિકા એટલી ફબ લાગી રહી છે કે નિહાળનાર લોકો આશ્ચર્યચકિત થઇ જશે. જો કે આ લુકને કેરી કરવાની બાબત દીપિકા માટે સરળ ન હતી. કારણ કે તેને આ લુકમાં રહેવા માટે ખુબ મહેનત કરવી પડી છે. સુત્રોના વાત પર વિશ્વાસ કરવામાં આવે તો દીપિકા ફિલ્મમાં ૨૦ કિલોના દાગીના પહેરનાર છે. રાણી પદ્માવતિના દાગીના જ નહી બલ્કે તેમના વસ્ત્રો પણ ખુબ ભારે ભરકમ રહેનાર છે. પરંતુ ફિલ્મની કોસ્ચ્યુમ ડિજાઇનર રિમ્પલ નરૂલાએ કહ્યુ છે કે લોકો વજનની વાત કરી રહ્યા છે. અમે આવી કોઇ ચીજ બનાવી નથી જેના કારણે પહેરવામાં તકલીફ પડી શકે. દાગીના અને વસ્ત્રો ઉપરાંત દીપિકાના યુનિબ્રોની પણ ભારે ચર્ચા છે. આ અગાઉ આ લુકમાં કાજોલ, શિલ્પા શેટ્ટી નજરે પડી ચુકી છે. દીપિકા માટે ફિલ્મ માટે ખાસ લુક પર વધારે ધ્યાન આપવામાં આવ્યુ છે. પદ્માવતિ ફિલ્મમાં શાહિદ કપુર, રણવીર સિંહ અને દીપિકાની મુખ્ય ભૂમિકા છે. રણવીર અને દીપિકા મોટા ભાગે સંજય લીલાની ફિલ્મમાં નજરે પડતા રહ્યા છે. શાહિદ કપુર તેમની સાથે પ્રથમ વખત કામ કરી રહ્યો છે. જો કે ફિલ્મને લઇને રાજપુત સમુદાયના લોકો વાંધો ઉઠાવી ચુક્યા છે.