સુકાની વિરાટ કોહલીનાં નેજા હેઠળ ટીમ ઈન્ડિયાએ વિન્ડીઝ સામે સિરીઝની પાંચમી મેચ જીતી ટુર્નામેન્ટ ૩-૧થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ૮ વિકેટે સરળ વિજય હાંસલ કર્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ ૧૧૧ રન બનાવ્યા હતાં અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો જ્યારે સ્ટાર બેટ્સમેન અજીંકય રહાણેને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
કોહલીએ ટોસ જીતીને યજમાન વિન્ડીઝને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. વિન્ડીઝે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૦૫ રન કર્યા હતાં. ભારત તરફથી ફાસ્ટ બોલર શમીએ ૪૮ રનમાં ૪ વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે ૫૩ રનમાં ૩ વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાને મળેલા ૨૦૬ રનનો લક્ષ્યાંક ટીમે માત્ર ૩૬.૫ ઓવરમાં જ પૂર્ણ કરી લીધો હતો. સ્ટાર બેટ્સમેન અજીંકય રહાણેએ ૩૯ રન ફટકાર્યા હતાં. કેપ્ટન કોહલી ૧૧૧ અને દિનેશ કાર્તિકે ૫૦ રન બનાવ્યા હતાં. કાર્તિક અને કોહલીએ ત્રીજી વિકેટ માટે ૧૨૨ રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી.