Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મારી પાસેથી કોઇ ચમત્કારની આશા ન રાખતા : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના બુંદેલખંડ સાથે જોડાયેલ પાર્ટીના અનેક નેતાઓ તેમજ કાર્યકર્તાઓની સાથે બેઠક કરી અને તેમને કહ્યું કે, તે ઉપરથી કોઈ ચમત્કાર નથી કરી શક્તી, પરંતુ પાર્ટીની જીત નક્કી કરવા માટે કોંગ્રેસ સાથે જોડાયેલ તમામ લોકોએ સંગઠિત થવું પડશે અને સહયોગ આપવો પડશે. તેમણે એમ પણ કહ્યું કે, પાર્ટી વિરોધી ગતિવિધીઓમાં સામેલ નેતાઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે.
બેઠકમાં હાજર એક નેતાએ જણાવ્યું કે, પ્રિયંકા ગાંધીએ કહ્યું કે- બૂથ સ્તર પર કોંગ્રેસને મજબૂત કરવુ પડશે. હું ઉપરથી કોઈ ચમત્કાર નથી કરી શક્તી, પાર્ટીની જીત તમારા લોકોના સંગઠિત થઈને કામ કરવામાં જ છે અને મારો પૂરતો સહયોગ કરવો પડશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ મહાસચિવે એમ પણ સ્પષ્ટ કર્યું કે, જે નેતા પાર્ટી વિરોધી ગતિવિધીઓમાં સામેલ મળશે, તેમને બહારનો રસ્તો બતાવવામાં આવશે.
આ બેઠક દરમિયાન ઝાંસી સાથે જોડાયેલા નેતાઓએ પ્રિયંકાને રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા ભેટ કરી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અમે તેમને ઝાંસીની રાણીની મૂર્તિ ભેટ કરી, જે અંગે તેમણે કહ્યું કે, રામી લક્ષ્મીબાઈથી પ્રેરણા મળે છે.

Related posts

सीएम केजरीवाल ने अब तक का पानी का बकाया बिल माफ करने की घोषणा की

aapnugujarat

सरायकेला में पुलिस टीम पर नक्सली हमला, ५ जवान शहीद

aapnugujarat

હવામાનમાં પલટો : દિલ્હી-એનસીઆરમાં વરસાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1