Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એટીએમનો યૂઝ થઇ શકે છે મોંઘો, ચાર્જ વધારા સાથે ફ્રી લિમિટ થઇ શકે છે સમાપ્ત

આવનારા સમયમાં એટીએમને લઇને સામાન્ય જનતાને એક મોટો ઝટકો લાગી શકે તેમ છે. હકીકતમાં જે સેવાઓનાં લાભ લોકોને મળી રહેલ છે તેને બેંક ખતમ કરવાની તૈયારીમાં છે. જાણકારી અનુસાર, બેંક એટીએમ પર મળનારી અનેક સેવાઓને માટે ફી વધારવા પર વિચાર કરી રહ્યાં છે. આવું એટલાં માટે થઇ રહેલ છે કેમ કે બેંકોનો એટીએમ ખર્ચ સતત વધતો જઇ રહ્યો છે અને આનાંથી આનું નુકસાન પણ ઓછું થવાનું નામ નથી લઇ રહેલ.
જૂનમાં મહેસૂલ વિભાગ અને નાણાં મંત્રાલય અંતર્ગત આવનાર નાણાંકીય સેવા વિભાગની વચ્ચેની બેઠકમાં બેંકોએ આ સેવાઓ પર ટેક્સની છૂટછાટ આપવાની માંગ કરી હતી. આ મામલો હવે પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચી ચૂકેલ છે. આ સમસ્યાનાં સમાધાન માટે બેંકો અને નાણાં મંત્રાલયનાં અધિકારીઓની વચ્ચે એક વિશેષ બેઠક બોલાવવામાં આવી છે. આ જ સપ્તાહે આ સમસ્યાનું સમાધાન આવી શકે છે.
બેંકોએ ઇમ્ૈંને જે પ્રસ્તાવ આપ્યો છે તેને આધારે પ્રત્યેક ગ્રાહકને દર મહીને મળનારા મફ્ત ટ્રાન્ઝેક્શનની સંખ્યાને ઘટાડી દીધી છે. હાલમાં વધારે બેંક કુલ મિલાવીને ૮ ટ્રાન્ઝેક્શન મફ્ત આપે છે, જેમાં ૫ પોતાની બેંકો પર અને ૩ અન્ય બેંકો પર મળે છે. આને ઘટાડીને કુલ ૩ કરવામાં આવી શકે છે. બેંક આપને આ સેવાઓ મફ્ત આપે છે જ્યારે બેંકોએ આ પ્રકારની સેવાઓ પર લગભગ ૪૦ હજાર કરોડ રૂપિયાનો સર્વિસ ટેક્સ આપવો પડે છે.
બેંક આ સિવાય એટીએમ પર થનાર નોન બેંકિંગ ટ્રાન્ઝેક્શનની ફીને પણ ૧૮ રૂપિયાથી વધારવા ઇચ્છે છે. તે વધીને ૨૫ રૂપિયા પણ થઇ શકે છે. આ ફીને ૨૦૧૨માં નક્કી કરવામાં આવી હતી અને ત્યારથી આમાં કોઇ જ ફેરફાર નથી કરાયો. એટીએમથી એક ટ્રાન્ઝેક્શનનો ખર્ચ એક દિવસનો ૨૩ રૂપિયા હોય છે.

Related posts

રાજ્યની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે: તેલંગણા હાઇકોર્ટ

editor

પરિવાર બહારની વ્યક્તિને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવે : પ્રિયંકા ગાંધી

editor

ઉત્તર ભારતમાં સામાન્ય કરતા વધારે ગરમી પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1