Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પીએનબી કૌભાંડ : જેટલી પોતાની પુત્રીને બચાવવા માટે ચૂ૫ છે છરાહુલ ગાંધી

પંજાબ નેશનલ બેંકના ૧૨ હજાર ૭૦૦ કરોડ રૂપિયાના ગોટાળાને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નાણાપ્રધાન અરૂણ જેટલી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને લખ્યું છે કે અરૂણ જેટલી તેમની પુત્રી જે વકીલ છે તેમને બચાવવા માટે ચૂપ છે. કેમકે તેમની પુત્રીને પીએનબી ગોટાળાના આરોપી દ્વારા મોટી ફી ચૂકવાઈ છે.
રાહુલ ગાંધીએ લખ્યું કે સીબીઆઈ તપાસ દરમિયાન જો અન્ય કાનૂની ફર્મો પર દરોડા પાડી રહી હતી તો અરૂણ જેટલીની પુત્રીની ફર્મ પર કેમ દરોડા ન પડાયા. મહત્વનું છે કે પીએનબી ગોટાળામાં હીરા કારોબારી નીરવ મોદી અને તેમના સંબંધી મેહૂલ ચોક્સી મુખ્ય આરોપી છે. બંને પર લેટર ઓફ અન્ડરસ્ટેન્ડીંગ દ્વારા બેંકને ૧૨ હજાર ૭૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ છે. રાહુલ ગાંધી નીરવ મોદી ગોટાળાને લઈને મોદી સરકારને ઘેરવાના મૂડમાં છે.

Related posts

कृषि बिल कानून : सीएम केजरीवाल बोले- शांतिपूर्ण प्रदर्शन करना संवैधानिक अधिकार

editor

મોબાઇલ એપથી સરળતાથી કરી શકાશે આધાર વેરિફિકેશન

aapnugujarat

अच्छे दिन आ गए हैं और देश बदल गया है : नड्डा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1