Aapnu Gujarat
મનોરંજન

સુહાગરાત હોય તે જરૂરી નથી સુહાગદિન પણ હોઈ શકે છે : KATRINA KAIF

કરણ જોહરના પોપ્યુલર ચેટ શો કોફી વિથ કરણની સાતમી સીઝનનો નવો પ્રોમો આવી ગયો છે. આ વખતના એપિસોડમાં ફિલ્મ ’ફોન ભૂત’ની કાસ્ટ આવવાની છે. કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર આ વખતે કોફી કાઉચ પર બેસશે. શોનો એપિસોડનો પ્રોમો જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં કેટરિના કૈફ આલિયા ભટ્ટે સુહાગરાતને લઈને કરેલી કોમેન્ટ પર પ્રતિક્રિયા આપતી જોવા મળે છે. આલિયા ભટ્ટ ’કોફી વિથ કરણ ૭’ના પહેલા એપિસોડમાં રણવીર સિંહ સાથે આવી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે, સુહાગરાત જેવું કંઈ નથી હોતું અને તેના લગ્નના દિવસે તે એટલી થાકી ગઈ હતી કે સુહાગરાત માટે એનર્જી જ નહોતી બચી. હવે ’કોફી વિથ કરણ ૭’ના લેટેસ્ટ પ્રોમોમાં કેટરિના કૈફ આ વિશે વાત કરતી જોવા મળે છે. સુહાગરાતે નવદંપતી થાકી જાય તો તેના બદલે શું કરી શકે છે તેનો વિકલ્પ કેટરિનાએ આપ્યો હતો. કેટરિનાએ કહ્યું, “સુહાગરાત હોય તે જરૂરી નથી સુહાગદિન પણ હોઈ શકે છે.” કેટરિના કૈફનું આ સૂચન ફિલ્મમેકર કરણ જોહરને ખૂબ પસંદ આવ્યું હતું. આ દરમિયાન કેટરિનાના કો-એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીએ પણ તેના અંગે ખાસ્સા સમયથી ચાલી રહેલી અફવા પર પૂર્ણવિરામ મૂક્યું હતું. સિદ્ધાંત, અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છેલ્લા થોડા મહિનાઓથી ચાલી રહી છે. ત્યારે કરણે સિદ્ધાંતને તેની રોમેન્ટિક લાઈફ વિશે પૂછતાં તેણે સિંગલ હોવાનો ખુલાસો કર્યો હતો. સિદ્ધાંતે આ વાતમાં કો-એક્ટર ઈશાન ખટ્ટરને પણ સમાવી લીધો હતો. તેણે કહ્યું- “હું એટલો સિંગલ છું કે મારી સાથે ફરતાં ફરતાં આ (ઈશાન) પણ સિંગલ થઈ ગયો છે. આ તરફ કેટરિનાની વાત કરીએ તો, તેણે વિકી કૌશલ સાથે ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. કપલના લગ્નમાં માત્ર પરિવારજનો અને ખૂબ નજીકના મિત્રો હાજર રહ્યા હતા. જ્યારે આલિયા-રણબીરે ૧૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ લગ્ન કર્યા છે. તેમણે મુંબઈ સ્થિત પોતાના ઘરે જ પરિવાર અને અંગત મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. હાલ આલિયા પ્રેગ્નેન્ટ છે અને થોડા જ મહિનામાં કપલના પહેલા સંતાનનો જન્મ થશે. વર્કફ્રંટની વાત કરીએ તો, કેટરિના કૈફ ’ફોન ભૂત’ ઉપરાંત ’ટાઈગર ૩’માં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે દેખાશે. આલિયાની વાત કરીએ તો, તે ’બ્રહ્માસ્ત્ર’, ’રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને હોલિવુડ ફિલ્મ ’હાર્ટ ઓફ સ્ટોન’માં દેખાશે. આ સિવાય કેટરિના અને આલિયા, પ્રિયંકા ચોપરા સાથે ફરહાન અખ્તરના નિર્દેશનમાં બનનારી ’જી લે ઝરા’માં દેખાશે.

Related posts

ટીવી સ્ટાર્સ રિદ્ધિ ડોગરા-રાકેશ બાપટ છૂટાછેડા લેશે

aapnugujarat

ફેમિલીને વધારવા માટે બ્લેક લાઇવલી ઉત્સુક

aapnugujarat

Mortal remains of legendary singer SP Balasubrahmanyam laid to rest in Tiruvallur

editor

Leave a Comment

UA-96247877-1