આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ઉમેદવારોની પસંદગીની હિલચાલ શરૂ થઈ છે. રાજ્યના અનેક સાંસદો એક્ટિવ ન હોવાના કારણે તેમની ટિકિટો કપાઈ શકે છે જ્યારે અનેક નવા ચેહરાઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્તમાન સાંસદોમાંથી કેટલાક સાંસદોની ટિકિટ કપાઈ શકે છે.
અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલની કપાય તેવી શક્યકા છે. આ બેઠક પર ભાજપ દ્વારા પાટીદાર અગ્રણીને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે. મહત્વનુ છે કે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાટીદાર મતદારોનુ પ્રભુત્વ રહ્યુ છે. આ બેઠક પર પાટીદાર અગ્રણી સી.કે.પટેલનું નામ ચર્ચાઈ રહ્યુ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદની પૂર્વ બેઠક પર ભાજપ સી.કે.પટેલને ટિકિટ આપી શકે છે. મહત્વનું છે કે, અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સાંસદની કામગીરીથી લોકોમાં નારાજગી જોવા મળે છે. જેથી ભાજપને આ બેઠક પર નુકસાન થઈ શકે છે. ત્યારે ભાજપ દ્વારા અમદાવાદ પૂર્વ બેઠક પર જીત મેળવવા માટે અન્ય ચેહરાને ઉતારવો ખુબ જ જરૂરી છે.
next post