અમદાવાદમાં આગામી ૧૭થી ૨૮ જાન્યુઆરી સુધી શોપીંગ ફેસ્ટીવલ યોજાનાર છે. ત્યારે વેપારીઓ અને કોર્પોરેશન દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
શોપીંગ ફેસ્ટીવલનો પ્રચાર કરવા માટે વિશાળ રોડશોનું આયોજન કરવામા આવ્યુ હતું. આ રોડ શોમાં મહેસુલ મંત્રી કૌશીક પટેલ,મેયર ઉપરાંત વેપારીઓ જોડાયા હતા. અંકુર ચાર રસ્તાથી યોજાયેલો રોડ શો નવરંગપુરા ખાતે સમાપ્ત થયો હતો. વાઇબ્રન્ટ વખતે અનેક લોકો અમદાવાદ આવતા હોય છે. આ પ્રકારના ફેસ્ટીવલનું આયોજન કરી તેઓને આકર્ષવાનો પ્રયાસ કરવામા આવ્યો છે. ઓટોમોબાઇલ, હાર્ડવેર, પેપર, ઓઇલ, ગારમેન્ટસ ફુટવેર જેવા ૮૦ પ્રકારના એસોસીએશનો આ ફેડરેશન સાથે જોડાયેલા છે. શોપીંગ ફેસ્ટીવલ દરમિયાન શહેરનાં જાણીતા માર્કેટસ જેવાકે મ્યુનિસિપલ માર્કેટ, ઢાલગરવાડ, રતનપોળ તેમજ માણેકચોક વગેરેને સજાવવામાં આવશે. આ ફેસ્ટીવલ દરમિયાન ગ્રાહકોને વિવિધ પ્રકારનું ડીસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ફેસ્ટીવલ લોકોને આકર્ષી શકે છે કે કેમ તે જોવું રહ્યું.