Aapnu Gujarat
મનોરંજન

નુસરત ભરૂચા બોલિવુડમાં કેરિયરને લઇ આશાવાદી

પ્યાર કા પંચનામા સિરિઝની ફિલ્મો માટે લોકપ્રિય રહેલી અભિનેત્રી નુસરત ભરૂચા પોતાની જુની ટીમની સાથે નવી ફિલ્મ સોનુ કે ટીટુની સ્વીટી ફિલ્મમાં નજરે પડનાર છે. બ્રોમાંસ વર્સલ રોમાંસની ખાસ થીમ પર આધારિત તૈયાર કરવામાં આવેલી ફિલ્મ યુવા પેઢીમાં લોકપ્રિયતા જગાવે તેવી શક્યતા છે. હાલમાં નુસરતે જુદા જુદા વિષય પર વાત કરી હતી. આ ફિલ્મમાં તે નિર્દેશક લવ રંજન અને અભિનેતા કાર્તિક આર્યનની સાથે ચોથી વખત કામ કરી રહી છે. વારંવાર આ ટીમની સાથે કામ કરવા માટેના કોઇ ખાસ કારણ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા નુસરતે કહ્યુ હતુ કે આના માટેના કોઇ ખાસ કારણ નથી. તેનુ કહેવુ છે કે આ નિર્માતા નિર્દેશકો કરતા તેને વધારે સારુ કામ અન્ય કોઇ આપી રહ્યુ નથી. લવ અને કાર્તિક સાથે તેની ચોથી ફિલ્મ છે. તેનુ કહેવુ છે કે એક ફિલ્મ બાદ બીજી ફિલ્મ તેના કરતા વધારે સારી બની છે. આ ટીમ સાથે કામ કરવાનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે તે એક્ટિંગ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકી છે. તેનુ કહેવુ છે કે સંઘર્ષના દિવસો હજુ પૂર્ણ થયા નથી. તેનુ કહેવુ છે કે કાસ્ટિંગ કાઉચના મામલે તે વધારે કહેવા માંગતી નથી. તેની સાથે સીધી રીતે ક્યારેય આવુ બન્યુ નથી. પરંતુ ઇશારામાં સમજી શકાય છે કે સામે વાળી વ્યક્તિ આપની પાસેથી શુ ઇચ્છે છે.  તેનુ કહેવુ છે કે એક વખત બોલ્ડ ફિલ્મ માટે તેને બોલાવવામાં આવી હતી અને આ વિષય પર વાત કરવામાં આવી હતી. તેનુ કહેવુ છે કે સાહસ સાથે આગળ વધનાર માટે કોઇ તકલીફ નથી. બોલિવુડમાં નોન ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતી અભિનેત્રીઓ સાથે કાસ્ટિંગ કાઉચ જેવી ઘટના જોવા મળે છે. આ બાબત વાસ્તિક છે.

Related posts

अक्षय कुमार ने शेयर किया सूर्यवंशी का ऐक्शन सीन

aapnugujarat

પ્રિયા પ્રકાશને રોહિત શેટ્ટીની ‘સિમ્બા’માં કામ કરવાની ઑફર મળી

aapnugujarat

૨૦૧૮માં બોલિવુડ ઘટનાઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1