Aapnu Gujarat
ગુજરાત

દાહોદના ધાનપુરમાં ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકરો સામસામે આવી ગયાં

દાહોદના દેવગઢ બારિયાના ધાનપુરમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે થયેલા હિંસક હુમલાના બનાવમાં ૪ લોકો ઘાયલ થયા હતા. આ બનાવ અંગે કોંગ્રેસના ઉમેદવાર ભારતસિંહ વાખળા તેમજ ૨૦૦ લોકો વિરુદ્ધ તેમજ ભાજપના ઉમેદવાર બચુ ખાબડ સહિત ૨૯ લોકો વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો. બંને પક્ષે સામસામે ફાયરિંગ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
દેવગઢ બારિયાના ધાનપુરમાં હાટ બજારમાં પ્રચાર માટે નિકળેલા ભાજપ – કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ડખો થયો હતો. પ્રચાર માટે નિકળેલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં થયેલી બોલાચાલીમાં મામલો બિચક્યો હતો.
તે પછી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પત્થરમારો થયા છી મારામારી અને ફાયરિંગની ઘટના બનવા પામી હતી. ભાજપ- કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી.
આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના પર કરવામાં આવેલા હિંસક હુમલામાં મારક હથિયારોનો ઉપયોગ થયો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
પોલીસે ભાજપના બચુ ખાબડ અને કોંગ્રેસના ભારત વાખળા સહિત કુલ ૨૨૯ લોકો વિરુદ્ધ સામસામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.

Related posts

૬૦૦થી વધુના લાયસન્સ રદ : આરટીઓનો સપાટો

aapnugujarat

બિટકોઇન કેસમાં ૯ પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ

aapnugujarat

લોકોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા : નીતિન પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1