અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષ ભાજપ દ્વારા કોંગ્રેસ દ્વારા કરવામા આવેલા ૫,૦૦૦ કરોડના ભ્રષ્ટાચારના આરોપો બાદ હવે કોંગ્રેસ સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ નોંધાવતા ચૂંટણીપંચ દ્વારા તપાસના આદેશ આપવામા આવ્યા છે. આ અંગેની વિગત એવી છે કે,મ્યુનિસિપલ વિપક્ષનેતા દ્વારા ત્રણ નવેમ્બરના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરીમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસકપક્ષ તરીકે ભાજપના ૨૨ માસના શાસન કાળમાં કુલ મળીને રૂપિયા ૫,૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.બાદમાં ભાજપ દ્વારા એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામા ન આવ્યો હોવાનુ કહેતા ગઈકાલે વિપક્ષ દ્વારા નવેસરથી આ મામલે વળતો પ્રહાર કરવામા આવતા આજે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસકપક્ષ ભાજપ દ્વારા કોંગ્રેસ દ્વારા આચારસંહિતાનો ભંગ કરીને સરકારી ઈમારતનો ઉપયોગ પ્રચાર-પ્રસાર માટે કરવામા આવ્યો.