Aapnu Gujarat
રાષ્ટ્રીય

ડીઝલના વાહનો બનાવવાનું ચાલુ રહેશે તો સરકાર તેના પર ટેક્સ વધારશે : GADKARI

કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરી આજકાલ ડીઝલના ઉપયોગ સામે નારાજ છે. તેમણે કહ્યું છે કે ડીઝલથી સૌથી વધારે પ્રદૂષણ પેદા થાય છે અને તે વધુ નુકસાનકારક છે. તેથી કાર ઉત્પાદકોએ ડીઝલથી ચાલતી કારનું ઉત્પાદન બંધ કરવું જોઈએ. તેમણે એવા સંકેત પણ આપ્યા છે કે ડીઝલનો વપરાશ ઘટે તે માટે તેઓ આકરા પગલાં લેવાના છે. ડીઝલની વધતી માંગના કારણે જ ભારતે ઓઈલની વધારે આયાત કરવી પડે છે.

ભારતીય કાર ઉત્પાદકોને ગડકરીએ ચેતવણી આપી છે કે ડીઝલના વાહનો બનાવવાનું ચાલુ રહેશે તો સરકાર પાસે તેના પર વધારે ટેક્સ નાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. તેમણે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું કે ડીઝલને ગૂડબાય કહી દો. ડીઝલના વાહનો બનાવવાનું મહેરબાની કરીને બંધ કરો. નહીંતર અમે એટલો બધો ટેક્સ વધારીશું કે તમારા માટે ડીઝલ કાર વેચવાનું મુશ્કેલ થઈ જશે.

શરૂઆતમાં એવા અહેવાલ આવ્યા હતા કે સરકાર ડીઝલનો વપરાશ ઘટે તે માટે તેના પર 10 ટકા સુધી ટેક્સ વધારી શકે છે. જોકે, ગડકરીએ કહ્યું કે હાલમાં આવી રીતે ટેક્સ વધારવાની કોઈ યોજના નથી.
ભારતમાં કેટલીક કાર ઉત્પાદક કંપનીઓ ડીઝલને છોડીને સંપૂર્ણપણે પેટ્રોલ તરફ વળી રહી છે. મારુતિ સુઝુકી અને હોન્ડા જેવી કંપનીઓએ ડીઝલ પેસેન્જર વ્હીકલ બનાવવાનું સાવ બંધ કરી દીધું છે.
ડીઝલને નુકસાનકારક ફ્યુઅલ ગણાવતા નિતિન ગડકરીએ કહ્યું કે વધતી માંગના કારણે ભારતે ફ્યુઅલની આયાત પર આધાર રાખવો પડે છે. જોકે, ભારતમાં હવે ડીઝલ કારની સંખ્યા ઘટી રહી છે. 2014માં ભારતમાં લગભગ 53 ટકા ડીઝલ સંચાલિત કાર હતી જ્યારે હવે તેનું પ્રમાણ માત્ર 18 ટકા છે. તેમણે કહ્યું કે વાહન ઉત્પાદકોએ હવે ઈથેનોલ અને ગ્રીન હાઈડ્રોજન જેવા પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવા ઈંધણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
હાલમાં ઓટોમોબાઈલ પર 28 ટકા જીએસટી અને વધારાનો સેસ લાગે છે. વાહનના પ્રકાર મુજબ સેસનું પ્રમાણ એક ટકાથી લઈને 22 ટકા સુધી હોઈ શકે છે. એસયુવી પર સૌથી વધારે 28 ટકા જીએસટી અને 22 ટકા સેસ લાગે છે. એસયુવીમાં સૌથી વધારે ડીઝલનો વપરાશ થતો હોવાથી તેનું વેચાણ ઘટે તે માટે સરકાર તેના પર સૌથી વધારે ટેક્સ નાખે છે. પરંતુ ભારતમાં લોકો ધીમે ધીમે સ્મોલ કારના બદલે એસયુવી તરફ વળી રહ્યા છે. તેથી ડીઝલની ડિમાન્ડ પણ વધી જાય છે.

Related posts

पीएम मोदी चुने हुए आलोचकों के साथ करे CAA पर सवाल-जवाब : कांग्रेस

aapnugujarat

१७ हजार पेेडों की कटाई का मामला : केन्द्र सरकार के फैसले पर दिल्ली हाई कोर्ट ने लगाई रोक

aapnugujarat

Thanga Tamilselvan quits AMMK joins DMK

aapnugujarat
UA-96247877-1