અભિનેતા અભિષેક બચ્ચને બોર્ડર જેવી સુપરહિટ ફિલ્મ બનાવનાર ફિલ્મ નિર્દેશક જેપી દત્તાની મહત્વકાંક્ષી ફિલ્મ પલટનને છોડી દીધી છે. આ ફિલ્મ અભિષેકે છોડીને તમામને ચોંકાવી દીધા છે. ચાહકો આ બાબતને લઇને હેરાન છે કે અભિષેકે આટલી મોટી ફિલ્મ કેમ છોડી દીધી છે. ફિલ્મ છોડી દેવા માટેનુ કોઇ કારણ જાણી શકાયુ નથી. ફિલ્મના ફર્સ્ટ લુકને જારી કરવામાં આવ્યા બાદ ફિલ્મનુ હવે શરૂ થનાર હતુ. ફિલ્મના શુટિંગ માટે ટીમ લડાખ જવા માટે રવાના થનાર હતી. ફિલ્મ માટે શુટિંગ શરૂ કરવામાં આવે તેના ૨૪ કલાક પહેલા જ અભિષેકે ફિલ્મ છોડી દીધી છે. અભિષેક ફિલ્મના હિસ્સા તરીકે નથી તે અંગેની જાહેરાત ખુબ જેપી દત્તાની પુત્રી દ્વારા કરવામાં આવી છે. અંગત કારણોસર ફિલ્મ અભિષેકે છોડી દીધી હોવાના હેવાલ મળી રહ્યા છે. જો કે અભિષેકના ચાહકોએ જુદી જુદી પ્રતિક્રિયા આપી છે. અભિષેકે ફિલ્મ છોડી તે અમારા માટે પણ નિરાશાજનક હોવાની વાત જેપી દત્તાની પુત્રી દ્વારા કરવામાં આવી છે. તેનુ કહેવુ છે કે અમે પહેલાથી જ તમામ કાસ્ટ, ક્રુ અને અન્ય સંબંધિત લોકો સાથે લડાખ પહોંચી ચુક્યા છીએ. ટુંક સમયમાં જ નવા કલાકારના નામની જાહેરાત કરવામાં આવનાર છે.
થોડાક દિવસ પહેલા જ અભિષેકે પોતે કહ્યુ હતુ કે તે જેપી દત્તાની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેપી દત્તા મોટા ભાગે ભારતીય સેનાના જવાનોની લાઇફ પર ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. વિતચેલા વર્ષોમાં તેઓ બોર્ડર જેવી ફિલ્મ બનાવી ચુક્યા છે. જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. આ ફિલ્મમાં સની દેઓલ, સુનિલ શેટ્ટી સહિતના અનેક સુપરસ્ટાર કલાકારો નજરે પડ્યા હતા.
પાછલી પોસ્ટ