બોલિવુડની લોકપ્રિય અભિનેત્રીઅદિતી રાવ હૈદરીની કેરિયરમાં હવે ધીેમે ધીમે તેજી આવી રહી છે. તેની પાસે બે મોટી ફિલ્મો આવી ગઇ છે. જે પૈકી એક સંજય લીલાની પદ્માવતિ છે. તે આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે કામ કરી રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં દિપિકા છે. તેના ટાઇટલ રોલવાળી ફિલ્મમાં રણવીર ઉપરાંત શાહિદ કપુર પણ કામ કરે છે. તેની ભૂમિકા પણ મોટી છે. અદિતીને હાલમાં સારી સારી ફિલ્મો મળી રહી છે. હવે વધુ એક મોટી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અદિતી રાવ હવે મણીરત્નમની ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. મણીરત્નમની ફિલ્મ કત્રુ વેલિઇદાઇ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. અદિતીએ માહિતી આપતા કહ્યુ છે કે તેનુ વર્ષોનુ સપનુ હવે પૂર્ણ થઇ રહ્યુ છે. મણિરત્નમની ફિલ્મ બોમ્બે નિહાળ્યા બાદ તે ભારે પ્રભાવિત થઇ હતી. મનિષા કોઇરાલાને લઇને પણ ભારે પ્રભાવિત થઇ હતી. એજ વખતે તેને વિચારી લીધુ હતુ કે એક દિવસ મણિરત્નમની સાથે કામ કરવાની ઇચ્છા છે. આખરે તેની ઇચ્છા પૂર્ણ થઇ રહી છે. બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા હાંસલ કરનાર બોમ્બે ફિલ્મ વર્ષ ૧૯૯૫માં રજૂ કરવામાં આવી હતી. જે એક મુસ્લિમ મહિલાની પટકથા હતી. મુસ્લિમ મહિલાની ભૂમિકા મનીશા કોઇરાલા દ્વારા અદા કરવામાં આવી હતી. જે હિન્દુ પુરૂષના પ્રેમમાં પડે છે. હિન્દુ પુરૂષના રોલમાં અરવિન્દ સ્વામીની ભૂમિકા રહી હતી. હાલમાં અદિતી રાવ સંજય લીલાની ફિલ્મ પદ્માવતિમાં પણ કામ કરી રહી છે. જેમાં તેના સાથે રણવીર સિંહ હવે દિપિકાની મુખ્ય ભૂમિકા રહેલી છે. અદિતી હાલમાં ફરી એકવાર આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તે સંજય દત્તની સાથે ભૂમિ ફિલ્મમાં કામ કરી રહી છે. જે પિતા પુત્રીની પટકથા હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
પાછલી પોસ્ટ