ભાજપ દ્વારા અમદાવાદ જિલ્લામાં વાજપેયજીની પ્રાર્થનાસભા કાર્યક્રમ ૨૪ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ સુધી કરવામાં આવશે જેમાં આજે ધોળકા ખાતે સવારે ૧૦ વાગ્યે અનંતરાય કાલે હોલ, સરસ્વતી વિદ્યામંદિર, કલીકુંડ ધોળકા અને બપોરે ૧ વાગ્યે બાવળા ખાતે લોહાણા મહાજનની વાડી ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે તો વિરમગામ શહેરમાં ૨૫મીનાં રોજ સવારે ૧૧ વાગ્યે લોહાણા સમાજની વાડી, માંડલ ખાતે બપોરે ૨ વાગ્યે મહાજન પાંજરાપોળ, દેત્રોજ ખાતે બપોરે ૪ વાગ્યે રાધાસ્વામી રોડ પર, સાણંદ શહેરમાં સાંજે ૫ વાગ્યે નગરપાલિકા હોલ ખાતે આયોજન કરાયું છે. તા.૨૭મીનાં રોજ ધંધુકા શહેર ખાતે તસોની મહાજનની વાડીમાં સવારે ૧૦ વાગ્યે, ધોલેરા ખાતે બપોરે ૧ વાગ્યે વડતાલ સ્વામીનારાયણ મંદિર, તા. ૨૮મીનાં રોજ દસ્ક્રોઈ અને બારેજા જાતે સવારે ૯ વાગ્યે એપીએમસી માર્કેટમાં અને અમદાવાદનાં બોપલ વિસ્તારમાં સાંજે ૪ વાગ્યે કબીર સ્મૃતિભવન હોલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ