Aapnu Gujarat
રમતગમત

મલિંગા નિવૃત્તિ પાછી ખેંચશે..!!?

ખાડે ગયેલી શ્રીલંકન ક્રિકેટ ટીમને બેઠી કરવા માટે રિટાયર્ડ થયેલા ઘાતક ખેલાડી લસિથ મલિંગાની એન્ટ્રી થઇ શકે છે. આ વાતના સંકેત ટીમના કૉચે આપ્યા છે. ટીમના હેડ કૉચ ચંડિકા હાથુરુસિંઘાએ સ્પષ્ટ કરી દીધી છે કે હવે ફાસ્ટ બૉલર મલિંગા ક્રિકેટ ટીમમાં વાપસી કરી શકે છે અને આગામી વર્ષે યોજાનારા ઇંગ્લેન્ડ વર્લ્ડકપમાં તેના માટે ટીમમાં જગ્યા બની શકે છે. કૉચ ચંડિકા હાથુરુસિંઘાનું માનવું છે કે હજુ પણ આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડકપ અને ૨૦૨૦માં યોજાનારી ટી-૨૦ વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં ટીમને યોગ્ય સંયોજનની તલાશ છે, આ માટે મલિંગાની જરૂર છે.ચંડિકા હાથુરુસિંઘાએ કહ્યું કે, દિગ્ગજ ફાસ્ટ બૉલર મલિંગા ઉપરાંત દાનુષ્કા ગુણાથિલકાનું પણ ટીમમાં સામેલ થવું શક્ય છે. ગુણાથિલકા પર ટેસ્ટ મેચનો નિયમ તોડવાથી પ્રતિબંધ લાગેલો છે. ઉલ્લેખનીય છે કે, લસિથ મલિંગાએ ગયા વર્ષે ભારત સામે છેલ્લી વનડે અને ટી-૨૦ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.

Related posts

West Indies defeated Ireland by 9 wickets

aapnugujarat

भारत की शान हैं विराट : गांगुली

aapnugujarat

यशस्विनी ने स्वर्ण जीता, भारत के लिए नौवां ओलंपिक कोटा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1