Aapnu Gujarat
ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને આવ્યો બ્રેઈન સ્ટ્રોક, હાલ સ્થિર છે તબિયત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે અને તેમની સારવાર વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી કે ડી હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલ, અનુજ પટેલની તબિયત સ્થિર છે અને તેઓને ઑબ્ઝર્વેશન હેઠળ 2 દિવસ માટે હોસ્પિટલમાં રાખવામાં આવી શકાય તેમ છે. મળતી માહિતી મુજબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલિક કે ડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે (રવિવારે) ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને તાત્કાલિક કે. ડી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. અનુજ પટેલનું અંદાજિત 2 કલાક સુધી ઓપરેશન કરવામાં આવ્યું છે. હાલ CM ભૂપેન્દ્ર પટેલ સહિતના પરિવારજનો હોસ્પિટલમાં હાજર છે. મળતી માહિતી પ્રમાણે અનુજ પટેલને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કે.ડી. હોસ્પિટલે પહોંચ્યા છે.

આવતીકાલે તારીખ 1 મેએ ગુજરાત સ્થાપના દિવસ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને સંબોધન કર્યું છે. ગુજરાત અને ગુજરાત બહાર વસતા તમામ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રીએ ગુજરાત ગૌરવ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, 1લી મે આપણા ગુજરાતનો ગૌરવવંતો સ્થાપના દિવસ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણા વડાપ્રધાન અને વિશ્વનેતા નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આપણે અમૃતકાળની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમૃતકાળનો આ પહેલો ગુજરાત ગૌરવ દિવસ વિશેષ મહત્વ ધરાવતો ગૌરવ દિવસ છે.

ગૌરવવંતા સ્થાપના દિવસના અવસરે મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને વિશ્વાસ આપતા કહ્યું કે, જનતા જનાર્દને અમારામાં મૂકેલો ભરોસો-વિશ્વાસ અમે એળે નહી જવા દઇએ અને જે વચનો આપ્યા છે તે પાળી બતાવીશું, ગુજરાતનું માન-સન્માન વધારીશું. ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રોમાં અવ્વલ રહે, પ્રથમ ક્રમે રહે તે માટે સંકલ્પબદ્ધ થવા અનુરોધ કરી મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો અને વિકાસની બુલંદ ઇમારત થકી ગુજરાત વિશ્વભરમાં ખ્યાતિ પામ્યું છે. તેમણે અમૃતકાળમાં આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણનો નિર્ધાર કર્યો છે.

Related posts

દેડીયાપાડા તાલુકાના ચીકદા ખાતે મુખ્યમંત્રીએ શ્રમદાન કરી ગામતળાવ ઊંડું કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું

aapnugujarat

વેજલપુરમાં બે હવસખોર ઝબ્બે

aapnugujarat

છબીલ પટેલ તારાં પાપ બહાર આવશે : પીડિતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1