Aapnu Gujarat
ગુજરાત

લોકોનો મુડ મોદી સાથે છે ૨૦૧૯માં મોદી જ વડા પ્રધાન બનશે : બાબા રામદેવ

સુરતમાં પતંજલી વસ્ત્રના લોન્ચીંગ માટે આવેલા યોગ ગુરૂ બાબા રામદેવે પતંજલી વસ્ત્ર સાથે સાથે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું પણ જોરદાર માર્કેટીંગ કરી દીધું હતું. તેઓએ કહ્યું હતું કે, લોકોની લહેર અને મુડ નરેન્દ્ર મોદી સાથે જ છે તેથી ૨૦૧૯માં નરેન્દ્ર મોદી જ વડા પ્રધાન બનશે. રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી ચુંટણીમાં ઉતર્યા છે તેના કારણે ચુંટણી રસપ્રદ બની રહેશે પણ જીવતાનું સપાન સાકાર નહીં થાય કારણ દેશ હિત અને દેશની સુરક્ષાના મુદ્દે લોકો મોદી સાથે છે અને ચુંટણીમાં પણ રહેશે.
સુરતના વરાછા વિસ્તારમાં પતંજલી વસ્ત્રની શોપના ઉદ્દઘાટન માટે યોગ ગુરૂ બાબા રામદેવ આવ્યા હતા. તેઓને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે ૨૦૧૪ની ચુંટણીમાં બેરોજગારી, મોંઘવારી અને ગરીબી, હિન્દુત્વ તથા વિકાસ મુદ્દા હતા તેનો હાલ ઉલ્લેખ નથી તો તે મુદ્દા બાજુએ મુકી દેવાયા છે? તેના જવાબમાં બાબાએ કહ્યું હતું, આ મુદ્દાઓ તો છે જ અને તેનો ઉકેલ પણ લાવવો જરૂરી છે પરંતુ હાલમાં દેશની સુરક્ષા, રાષ્ટ્રવાદ, દેશનું સ્વામાનનો મુદ્દો સૌથી મોટો મુદ્દો છે દેશ કોના હાથમાં સુરક્ષિત છે તે લોકો જાણી રહ્યાં છે. આગામી લોકસભાની ચુંટણીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પ્રચાર કરી રહ્યાં છે તો શું ફેર પડશે? તેના જવાબમાં બાબા રામદેવે કહ્યું હતું, તેમના ચુંટણીમાં ઈન્વોલ થવાથી ચુંટણી રસપ્રદ બનશે પણ તેમનું જીતવાનું સપનું સાકાર નહી થાય. કારણ દેશના લોકોને મોદી પર વિશ્વાસ છે લોકોની લહેર મોદી સાથે છે અને ચુંટણીમાં પણ રહેશે.

Related posts

म्युनिसिपल स्टेन्डिंग कमिटी में पांच वर्ष में ऐतिहासिक एलिसब्रिज सहित पांच बिल्डिंगों तोड़ने का प्रस्ताव था

aapnugujarat

કડી પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અભિયાન શરૂ કરાયું

aapnugujarat

सुप्रीम कोर्ट ने 2002 गुजरात दंगे की पीड़िता बिलकिस बानो को दो हफ्ते में मुआवजा और नोकरी का आदेश दिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1