Aapnu Gujarat
રાષ્ટ્રીય

જયપુર જેલમાં કેદ પાક. જાસૂસની અન્ય કેદીઓએ હત્યા કરી

કાશ્મીરના પુલવામામાં સીઆઆરપીએફની ટુકડી પર થયેલાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ પેદા થઈ છે. આ દરમિયાન બુધવારે જયપુર જેલમાં કેદીઓએ પાકિસ્તાનની જાસૂસ શકીરુલ્લાહને મારપીટ કરીને મોતના ઘાટે પહોંચાડી દીધો છે. આની જાણ થતાં જ જેલ પ્રશાસનના વરિષ્ઠ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. તેમજ આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીના કહેવા અનુસાર, શકીરુલ્લાહ જાસૂસીના આરોપ હેઠળ જયપુર જેલમાં સજા ભોગવી રહ્યો હતો. અહીંયા એ વાત પણ નોંધવી રહી કે, ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલં આતંકી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતાં. આ હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો. આ હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન પ્રત્યે લોકોમાં તીવ્ર રોષ ફેલાયો છે. લોકો સતત રોડ પર ઉતરીને પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે અને પાકિસ્તાનને પાઠ ભણાવવા માંગ કરી રહ્યાં છે.ગત જાન્યુઆરીએ પાકિસ્તાને ભારતની જેલમાં બંધ પોતાની કેદીઓની એક યાદી ભારતને આપી હતી. પાકિસ્તાનની યાદી અનુસાર, ભારતની જેલમાં લગભગ ૩૫૦થી વધુ પાકિસ્તાની નાગરિકો કેદ છે. એમાં મોટાભાગના માછીમારો કે બોર્ડર પાર કરીને ભારતમાં આપેલાં નાગરિકો છે.

Related posts

ગરીબો માટે અનેક લોકલક્ષી યોજના ટૂંકમાં જ જાહેર કરાશે

aapnugujarat

બદ્રીનાથના પ્રવેશ દ્ધાર ખુલતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

aapnugujarat

ઉત્તર ભારત ઠંડુગાર : લેહ ખાતે પારો માઈનસ ૧૭.૫ થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1