Aapnu Gujarat
રાષ્ટ્રીય

પ્રજ્ઞા ઠાકુર, બિધુરી જેવાઓના પત્તા કપાયા

લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં એક વાત ઉડીને આંખે વળગે તેવી છે. તાજેતરમાં ભાજપના જે સાંસદોએ બેફામ વાણીવિલાસ કર્યો હતો અથવા વાંધાજનક વર્તન કર્યું હતું તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માફ નથી કર્યા. આ વખતની યાદીમાં આવા સાંસદોના પત્તા કપાઈ ગયા છે. આ કારણથી જ પ્રજ્ઞા ઠાકુર, રમેશ બિધુરી અને પર્વેશ વર્મા જેવા લોકોને લોકસભાની ટિકિટ નથી મળી. ભાજપના એક નેતાએ સ્વયં સ્વીકાર્યું છે કે પ્રજ્ઞા ઠાકુર, રમેશ બિધુરી અને પર્વેશ વર્માએ જે રીતે ઉશ્કેરણીજનક ભાષા વાપરી હતી તેના કારણે ભાજપ માટે મુંઝવણભરી પરિસ્થિતિ પેદા થઈ હતી. આવા લોકો સામે પાર્ટીની અંદર નારાજગી હતી.

પ્રજ્ઞા ઠાકુરનો વિવાદઃ ભોપાલમાં ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઓળખાય છે જેઓ બોલતી વખતે કોઈ વાતનું ભાન રાખતા નથી. છેલ્લા પાંચ વર્ષમાં તેઓ અનેક વખત વિવાદોમાં સપડાયા છે. તેઓ એક બ્લાસ્ટ કેસમાં આરોપી તરીકે પકડાયા હતા અને પછી આરોગ્યના કારણોસર જામીન પર છે. આમ છતાં તેઓ કબડ્ડી રમતા જોવા મળે છે અને ગરબા કાર્યક્રમોમાં હાજરી આપે છે. પરંતુ સૌથી મોટો વિવાદ ત્યારે થયો હતો જ્યારે તેમણે મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથુરામ ગોડસેને એક દેશભક્ત ગણાવ્યો હતો.

પ્રજ્ઞા ઠાકુરની આ કોમેન્ટના કારણે સનસનાટી મચી ગઈ હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે રિએક્શન આપવું પડ્યું હતું. તેમાં મોદીએ કહ્યું હતું કે ગાંધીજી અથવા નાથુરામ ગોડસે અંગે કરવામાં આવેલી ટિપ્પણી અયોગ્ય છે અને સમાજમાં ખોટો સંદેશ આપે છે. પ્રજ્ઞા ઠાકુરે આ અંગે માફી માંગી છે પરંતુ હું તેમને ક્યારેય પૂર્ણ રીતે માફ નહીં કરી શકું. મોદીની આ ટિપ્પણીના પાંચ વર્ષ પછી પ્રજ્ઞા ઠાકુરની ટિકિટ કપાઈ ગઈ છે.

લોકોને યાદ હશે કે પ્રજ્ઞા ઠાકુરે એમ પણ કહ્યું હતું કે 2008ના મુંબઈ ત્રાસવાદી એટેકમાં મૃત્યુ પામનાર એટીએસના વડા હેમંત કરકરેને તેમણે શ્રાપ આપ્યો હતો.

રમેશ બિધુરીની ભાષાઃ સાઉથ દિલ્હીના ભાજપના સાંસદ રમેશ બિધુરીએ પણ શરમજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. ગયા સપ્ટેમ્બરમાં લોકસભામાં એક ચર્ચા દરમિયાન તેમણે અમરોહાના સાંસદ દાનિશ અલી માટે તેમના ધર્મને લઈને બેફામ શબ્દો વાપર્યા હતા. આ વાંધાજનક શબ્દો કેમેરામાં પકડાઈ ગયા હતા. ત્યાર પછી તેમણે માફી માંગી લીધી હતી પરંતુ ભાજપે તેમને ટિકિટ નથી આપી.

પર્વેશ વર્માની બાદબાકીઃ ભાજપની યાદીમાં પશ્ચિમ દિલ્હીના પર્વેશ વર્માનું નામ નથી જેઓ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહેબ સિંહ વર્માના પુત્ર છે. 46 વર્ષના પર્વેશ વર્માનો સપોર્ટ બેઝ મજબૂત છે પરંતુ તેઓ ભાષા પર કન્ટ્રોલ નથી રાખી શકતા. 2020માં શાહીનબાગના આંદોલન વખતે તેમણે પ્રદર્શનકારીઓ માટે વાંધાજનક વાત કરી હતી. ત્યાર પછી 2022માં તેમણે મુસ્લિમોનો બહિષ્કાર કરવાની વાત કરી હતી. વર્માએ કહ્યું હતું કે આ લોકોને સીધા કરવા હોય તો તેમનો બહિષ્કાર કરવો જોઈએ. આ ટિપ્પણીથી વિવાદ થયો હતો અને હવે તેમને લોકસભાની ટિકિટ નથી મળી.

Related posts

जम्मू-कश्मीर में ज्यादातर लैंडलाइन फोन बहाल : गवर्नर सत्यपाल मलिक

aapnugujarat

शराब से होने वाली मौतों से GDP को हर साल 1.45 % का नुकसान : रिसर्च

aapnugujarat

तिरुपति मंदिर में कपड़ा कारोबारी ने दान किए 6 किलो सोने के जेवर

aapnugujarat
UA-96247877-1