Aapnu Gujarat
ગુજરાત

બાર કાઉન્સિલમાં વેલ્ફેર ફંડ રિન્યુ ફીમાં ઘટાડાનો નિર્ણય

ગુજરાત રાજયમાં વકીલોના મૃત્યુ કે નિધનના કિસ્સામાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા તેમના પરિવારજનો કે વારસદારોને મૃત્યુસહાયની રકમ ચૂકવાતી હોય છે અને આ માટે વેલ્ફેર ફંડ સ્કીમ હેઠળ હાલ મૃત્યુસહાય પેટે વકીલોના પરિજનો કે વારસદારોને રૂ. ત્રણ લાખની સહાય ચૂકવાઇ રહી છે. જે તા.૧-૪-૨૦૧૯થી મૃત્યુસહાયની રકમ રૂ.ચાર લાખની થવા જઇ રહી છે ત્યારે આ વેલ્ફેર ફંડ સ્કીમ હેઠળ વકીલોને સમયાંતરે પોતાનું સભ્યપદ રિન્યુ પણ કરાવવાનું હોય છે, જેની રિન્યુઅલ ફી અત્યારસુધી રૂ.૨૫૦૦ હતી પરંતુ સમગ્ર વકીલઆલમમાં ખાસ કરીને જુનીયર વકીલો સહિતના ધારાશાસ્ત્રીઓની માંગણીને ધ્યાનમાં લઇ ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા એક મહત્વના નિર્ણયમાં વેલ્ફેર ફંડ સ્કીમની રિન્યુઅલ ફીમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ, વકીલાતના પાંચ વર્ષ પૂરા નહી કર્યા હોય તેવા જુનીયર વકીલોએ હવે માત્ર રૂ.એક હજાર જેટલી જ રિન્યુઅલ ફી ચૂકવવી પડશે. બાર કાઉન્સીલના આ નિર્ણયને પગલે રાજયભરના વકીલઆલમમાં ખુશીની લાગણી છવાઇ ગઇ છે એમ અત્રે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન દવે, પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા અને એકઝીકયુટીવ કમીટીના ચેરમેન કરણસિંહ બી.વાઘેલાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની આજરોજ મળેલી એડમીનીસ્ટ્રેટીવ કમીટીની બેઠકમાં રિન્યુઅલ ફીમાં ઘટાડાના અગત્યના નિર્ણય લેવાયા છે. જે મુજબ જુનીયર વકીલો માટે રૂ.૧૦૦૦ કરાયા છે, તે ઉપરાંત વકીલાતમાં એકથી પંદર વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા વકીલો માટે વાર્ષિક રૂ.૧૫૦૦ રિન્યુઅલ ફી, પંદરથી વીસ વર્ષથી પ્રેકટીસ કરતાં વકીલો માટે રૂ.૨૦૦૦ અને અને ૨૦ વર્ષથી ઉપરની પ્રેકટીસવાળા વકીલો માટે રૂ.૨૫૦૦ની રિન્યુઅલ ફી નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયને પગલે રાજયભરના વકીલોને ખાસ કરીને જુનીયર વકીલોને બહુ મોટી રાહત થશે.
ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન દવે, પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા અને એકઝીકયુટીવ કમીટીના ચેરમેન કરણસિંહ બી.વાઘેલાએ વધુમાં જણાવ્યું હતુ કે, સપ્ટેમ્બર-૨૦૧૮માં મળેલી બાર કાઉન્સીલની સાધારણ સભામાં વેલફેર ફંડની ફી તેમ જ સ્ટેમ્પની રકમ સહિતના માળખામાં નોંધપાત્ર ફેરફાર કરાયો હતો, જે મુજબ, રાજયમાં વકીલાત કરતા આશરે ૮૦ હજાર જેટલા વકીલો પૈકી વેલ્ફેર ફંડ સ્કીમ સાથે જોડાયેલા ૪૫ હજાર જેટલા વકીલો માટે વેલ્ફેર ફંડનું સભ્યપદ દર વર્ષે રિન્યુ કરાવવા માટે રિન્યુઅલ ફી રૂ.૨૫૦૦ નક્કી કરાઇ હતી. સાથે સાથે ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડની સ્કીમમાં વેલ્ફેર સ્ટેમ્પ જે તાલુકા-જિલ્લાની અદાલતોમાં રૂ.૨૦ની વેલ્ફેર સ્ટેમ્પ લગાવવાની હતી, તેના બદલે રૂ.૧૦ની વેલ્ફેર સ્ટેમ્પ લગાવવા, હાઇકોર્ટ અને ટ્રિબ્યુનલમાં રૂ.૪૦ની જગ્યાએ રૂ.૨૦ની વેલ્ફેર સ્ટેમ્પ લગાડવાનો નિર્ણય લેવાયો હતો. જો કે, ત્યારબાદ રિન્યુઅલ ફી મુદ્દે જુનીયર વકીલો સહિત રાજયભરના વકીલઆલમમાંથી રજૂઆતો મળી હતી, જેને ધ્યાનમાં લઇ આજે ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા રિન્યુઅલ ફીમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. બાર કાઉન્સીલના આ નિર્ણયને પગલે રાજયભરના વકીલઆલમમાં ખુશીની લાગણી છવાઇ ગઇ છે, રાજયના વિવિધ વકીલમંડળોએ બાર કાઉન્સીલના નિર્ણયને આવકાર્યો છે.

Related posts

રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સધન બનશે એ.ટી.વી.ટી. પેટર્ન મુજબ સી.પી.આઇ.નું માળખું રદ કરી નાયબ પોલીસ અધિક્ષકની દેખરેખ હેઠળ માળખું રચાશે :  પ્રદિપસિંહ જાડેજા

aapnugujarat

ગોંડલમાં ખેતરના કૂવામાંથી પ્રેમી પંખીડાનો મૃતદેહ મળ્યો

aapnugujarat

प्रवेशोत्सव कार्यक्रम : बच्चों के लिए १० लाख का खर्च करेगी म्युनिसिपल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1