Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ જુઠ્ઠાણા જ ચલાવ્યા છે, રાહુલને પીએમ બનવાની તક મળવી જોઈએઃ રાજ ઠાકરે

એક જમાનામાં વડાપ્રધાન મોદીની તરફેણ કરનારા મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે હવે નરેન્દ્ર મોદીના પ્રખર ટીકાકાર બની ગયા છે.
રાજ ઠાકરેએ મોદીની ટીકા કરવાની સાથે સાથે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવાનો મોકો મળવો જોઈએ તેવુ નિવેદન આપતા કહ્યુ હતુ કે, પીએમ મોદીએ પાંચ વર્ષ કોંગ્રેસના સમયમાં શરુ થયેલી યોજનાઓના નામ બદલવામાં જ કાઢી નાંખ્યા છે.
ગૂડી પડવા નિમિત્તે મુંબઈમાં યોજાયેલા પાર્ટીના સંમેલનને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યુ હતુ કે, પાંચ વર્ષ દરમિયાન પીએમ મોદીએ દરેક વાતનો જૂઠ્ઠો પ્રચાર જ કર્યો છે.
એ પછી એરસ્ટ્રાઈક હોય કે દરેક ભારતીયના ખાતામાં ૧૫ લાખ રુપિયા આપવાની વાત હોય કે, વિકાસ, રોજગાર, નોટબંધી જેવા મુદ્દાઓ હોય.
ઠાકરેએ કોંગ્રેસ સમર્થિત ગઠબંધનને મત આપવાની અપીલ કરતા કહ્યુ હતુ કે, નોટબંધીના કારણે લાઈનમાં ઉભા રહેવાથી ૧૦૦ થી વધુ લોકોના મોત થયા છે અને સાડા ચાર કરોડ લોકોન નોકરી ગઈ છે.આજે મોદી અને શાહની જોડીએ ભાજપના વરિષ્ઠ નેતાઓને હાંસિયામાં ધકેલી દીધા છે.

Related posts

એમપી : શિવરાજને ભાજપીઓ જ કરશે ઘરભેગા, બળવાખોરો ઉતર્યા મેદાનમાં

aapnugujarat

लद्दाख में भारत और चीनी सेना के बीच झड़प, अतिरिक्त फोर्स तैनात

aapnugujarat

राम मंदिर निर्माण के लिए दो ट्रक पत्थर पहुंचे अयोध्या

aapnugujarat

Leave a Comment

UA-96247877-1