કલોલ પૂર્વમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગ અને રાજુ વાઘેલા પ્રસ્તુત ભારતરત્ન ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના જીવન પર એક અદ્દભુત વાઇબ્રન્ટ નાટક ” ભીમ ગાથા ” ગુજરાતી ફિલ્મ અને સિરિયલોના નામાંકિત કલાકારો દ્વારા ભજવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી હિતુ કનોડિયા,દિપકભાઇ ચૌહાણ,સામાજિક કાર્યકર નિલેશ આચાર્ય,નાટકના લેખક જયંતિભાઈ પરમાર અને અમિત જ્યોતિકર ભીખાભાઈ એ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.આ નાટક જોવા માટે કલોલની સામાજિક સંસ્થાઓ અને હજારોની સંખ્યામાં ઠંડી હોવા છતાં કલોલ અને આજુબાજુના ગામોમાં રહેતાં સમાજના ભાઈઓ,બહેનો અને વડીલો આવ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે સ્થાનિક રહેવાસી લોકોએ સહકાર આપ્યો હતો તે બદલ નિલેશ આચાર્યએ સૌનો આભાર માન્યો હતો.
next post