Aapnu Gujarat
મનોરંજન

એવું કોઇ કામ નહીં કરું કે કોઇના દિલને દુઃખ પહોંચેઃ અક્ષય કુમાર

અક્ષયકુમારની નવી ફિલ્મ ‘કેસરી’ સુપરહિટ સાબિત થઇ ગઇ છે. આ ફિલ્મ અલગ પ્રકારની ઐતિહાસિક ફિલ્મ હતી, જે ભારતના વીરને સમર્પિત કરાઇ છે. અક્ષયકુમાર છેલ્લા થોડા સમયથી જે પ્રકારની ફિલ્મ કરે છે તે લોકોને જાગૃત બનાવી શકે છે. તે કહે છે કે લોકો પર ફિલ્મનો થોડો પ્રભાવ તો જરૂર પડે છે.
ફિલ્મો સામાજિક પરિવર્તન ન લાવી શકે, પરંતુ એ કામમાં મદદરૂપ તો ૧૦૦ ટકા બની શકે છે. મારી ખુશનસીબી છે કે મને આવી ફિલ્મ ઓફર થઇ, જેમાં કેટલાક જરૂરી મુદ્દા હતા. દર્શકોએ પણ મારી આવી ફિલ્મ પસંદ કરી છે. આગળ પણ મને આવા પ્રકારની સ્ક્રિપ્ટ મળશે તો હું જરૂર તેવી ફિલ્મો કરીશ.
ફિલ્મોની પસંદગીમાં અક્ષય દર્શકોની ભાવનાનું પણ ધ્યાન રાખે છે. તે કહે છે કે હું એવું કોઇ કામ નહીં કરું કે કોઇના દિલને દુઃખ પહોંચે. હું દરેક પ્રકારની ફિલ્મો કરું છું. એક્શન હોય કે કોમેડી કે પછી દેશના વીર માટેની ફિલ્મ હોય. કરિયરની શરૂઆતમાં મારાથી ભૂલ થઇ કે હું માત્ર એક્શન ફિલ્મ સુધી જ સીમિત હતો.

Related posts

सपना चौधरी के आईटम नंबर ने मचाया धमाल, अब पंजाबी फिल्म में दिखाए जलवे

aapnugujarat

સેફ અલીની સાથે ફિલ્મને લઇ ચિત્રાંગદા આશાવાદી

aapnugujarat

પ્રભાસ અને શ્રદ્ધા કપુરની ફિલ્મ ૨૦૧૮માં રજૂ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1