Aapnu Gujarat
ब्लॉग

ભીમા કોરેગાંવ : ૨૦૦ વર્ષ પહેલાની ઘટનાએ વર્તમાનને હચમચાવ્યું

પૂણે પોલીસે આજે દેશભરમાં અનેક સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરોડા માટે પોલીસે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી.પૂણે પોલીસના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં જાન્યુઆરીમાં થયેલી હિંસાની તપાસ સંબંધે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ વર્ષની શરૂઆતમાં થયેલી જ્ઞાતિ આધારિત હિંસા સંબંધે પાંચ અગ્રણી સામાજિક કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.
સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખા અને વરવરા રાવની વિવિધ શહેરોમાં આવેલાં તેમનાં ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.ઍક્ટિવિસ્ટ-વકીલ અરુણ ફરેરા, લેખક-ઍક્ટિવિસ્ટ વેર્નોન ગોન્સાલ્વીઝ, માનવાધિકાર કાર્યકર સ્ટેન સ્વામી અને પત્રકારો ક્રાંતિ ટેકુલા તથા કે. વી. કુર્મનાથના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા.અરુણ ફરેરા અને વેર્નોન ગોન્સાલ્વીઝને પોલીસે અટકાયતમાં લીધા હતા.ભીમા-કોરેગાંવમાં દલિતો પર થયેલા કથિત હુમલા બાદ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વિરોધની આગ ભભૂકી ઉઠી.
દલિત સમાજ ભીમા-કોરેગાંવમાં દર વર્ષે મોટી સંખ્યામાં એકત્ર થઈને એ દલિતોને શ્રદ્ધાંજલિ આપે છે જેમણે ૧૮૧૭માં પેશવાની સેના વિરુદ્ધ લડતા પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.એવું માનવામાં આવે છે કે બ્રિટિશ સેનામાં સામેલ દલિતો(મહારો)એ મરાઠાઓને નહીં, પણ બ્રાહ્મણો(પેશવા)ને હરાવ્યા હતા.
બાબા સાહેબ આંબેડકર પોતે પણ ૧૯૨૭માં આ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભીમા-કોરેગાંવ ગયા હતા.યુદ્ધની ૨૦૦મી વર્ષગાંઠ હોવાથી આ વર્ષે આ ઉત્સવનું આયોજન મોટા પાયે કરવામાં આવ્યું હતું.
આરોપ છે કે હિંદુત્ત્વવાદી સંગઠને હિંસા ફેલાવવાની શરૂઆત કરી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, જ્યારે મોટી સંખ્યામાં વાહનોને આગ ચાંપવામાં આવી હતી.આ જ સમયે દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પુના સ્થિત પેશવા શાસનના મુખ્યાલયમાં આયોજિત એક રેલીમાં ભાજપ અને સંઘને આધુનિક ’પેશવા’ ગણાવ્યા હતા અને તેમની વિરુદ્ધ લડવા આહ્વાન કર્યુ હતું.
ભીમા-કોરેગાંવની લડાઈ આજે ઘણા પ્રચલિત મિથકોને તોડે છે.અંગ્રેજો પોતાના સામ્રાજ્યના વિસ્તાર માટે આ લડાઈમાં જોડાયા હતા, જ્યારે પેશવાઓએ પોતાના રાજ્યની રક્ષા માટે લડાઈમાં ભાગ લીધો હતો.અંગ્રેજો પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માગતા હતા તેના કારણે તેમણે મોટી સંખ્યામાં દલિતોને પોતાની સેનામાં સામેલ કર્યા હતા.
તેમાં મહાર, પરાયાસ અને નમશુદ્ર જેવાં કેટલાંક નામ હતાં. આ વર્ગોને તેમની વફાદારી અને સહેલાઈથી તેમની ઉપલબ્ધતા માટે ભરતી કરવામાં આવ્યા હતા.પેશવા સેના પાસે ભાડે લીધેલા આરબ સૈનિકો હતા. આ સિવાય તેમની સાથે ગોસ્વામી પણ હતા.આ હિંદુ વિરુદ્ધ મુસ્લિમ યુદ્ધ ન હતું કેમ કે, એક તરફ ઇબ્રાહિમ ખાન ગારદી શિવાજીની સેનાનો ભાગ હતા, બીજી તરફ આરબ સૈનિકો બાજીરાવની સેનામાં સામેલ હતા.
દુર્ભાગ્યવશ આજે આપણે એ ઘટનાને સાંપ્રદાયિક ચશ્માથી જોવા માગીએ છીએ અને એ રાજ્યોની પણ અવગણના કરીએ છીએ જેઓ સત્તા અને ધનના લોભી હતા.
ત્યારબાદ અંગ્રેજોએ દલિત/મહારોની નિમણૂક બંધ કરી કેમ કે નિમ્ન પદ પર કાર્યરત ઉચ્ચ જાતિના સૈનિક દલિત અધિકારીઓની વાત માનતા ન હતા અને સલામ પણ કરતા ન હતા.આગળ ચાલીને આંબેડકરે પ્રયાસ કર્યો કે સેનામાં દલિતોની ભરતી કરવામાં આવે અને તેમને સલાહ આપવામાં આવી હતી કે આ સમસ્યાને દૂર કરવા મહાર રેજિમેન્ટની રચના કરવામાં આવે.મહાર સૈનિકોના મુદ્દા ઉઠાવવા, સમાજમાં દલિતોનું સ્થાન બનાવવા આંબેડકરે પ્રયાસ કર્યા હતા.
શું ભીમા-કોરેગાંવની લડાઈ એ સમયે દલિતોએ પેશવાઈ રાજવ્યવસ્થાને ઉખાડી ફેંકવા માટે લડી હતી?એ વાત સાચી છે કે પેશવા શાસનની નીતિઓ બ્રાહ્મણવાદી હતી.
શુદ્રોએ થૂંકવા માટે પોતાના ગળામાં વાસણ બાંધવું જરૂરી હતી, જેથી તેમના નાક અને મોઢામાંથી ગંદકી ન ફેલાય.
આ સિવાય તેમણે કમર પાછળ ઝાડૂ બાંધવું અનિવાર્ય હતું, જેથી ધરતી પર પડેલા તેમનાં પગલાં ભૂંસાઈ જાય.આ દલિતો પર કઠોર અત્યાચારના ચરમબિંદુ તરફ ઇશારો કરે છે.શું અંગ્રેજો બ્રાહ્મણવાદી કઠોરતાને મિટાવી દેવા માટે બાજીરાવ વિરુદ્ધ લડ્યા હતા?
આ સવાલનો જવાબ છે, ના. તેઓ માત્ર પોતાનો વેપાર વધારવા અને લૂંટના ઉદ્દેશ્યથી પોતાના પ્રભાવ ક્ષેત્રનો વિસ્તાર કરી રહ્યા હતા.
આ જ રીતે મહાર સૈનિક પોતાના માલિક પ્રત્યે નિષ્ઠાની ભાવનાથી અંગ્રેજો માટે લડી રહ્યા હતા.
આધુનિક શિક્ષણના પ્રભાવના કારણે સામાજિક સુધારાને બાદમાં ઉઠાવવામાં આવ્યા હતા.બ્રિટિશ સામ્રાજ્યના વહીવટીતંત્રમાં કર્મચારીઓની તાલિમ માટે આધુનિક શિક્ષાનો આરંભ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ અંગ્રેજોએ લૂંટની નીતિના પરિણામ સ્વરૂપે સામાજિક સુધારણાએ જોર પકડ્યું હતું.જ્યાં સુધી અંગ્રેજોનો સવાલ છે, ત્યાં સુધી તેમની નીતિઓએ અજાણતા જ અહીંની સામાજિક સંરચનાઓને પ્રભાવિત કરી હતી.
કેમ કે, બદલાતી પરિસ્થિતિમાં જ્ઞાતિના શોષણ પ્રત્યે જાગૃતિને જ્યોતિરાવ ફુલેએ આકાર આપ્યો હતો.એ વિચારવું મૂર્ખતા છે કે પેશવા રાષ્ટ્ર માટે લડી રહ્યા હતા, જ્યારે દલિતો અંગ્રેજોનો સાથ આપી રહ્યા હતા. રાષ્ટ્રવાદની અવધારણા તો અંગ્રેજી શાસન દરમિયાન આવી હતી, જે રાષ્ટ્રવાદ આવ્યો તેના પણ બે પ્રકાર હતા.પહેલો ભારતીય રાષ્ટ્રવાદ ઉદ્યોગપતિ, વેપારીઓ, સમાજના શિક્ષિત વર્ગો અને શ્રમિકોના નવગઠિત વર્ગમાંથી આવ્યો હતો.બીજો, મુસ્લિમ, હિંદુ ધર્મના નામ પર રાષ્ટ્રવાદ, જે જમીનદાર અને રાજાઓથી શરૂ થાય છે.છેલ્લાં કેટલાંક વર્ષોમાં વર્તમાન સરકારની નીતિઓના કારણે દલિતોમાં અસંતોષ વધી રહ્યો છે.ત્યારબાદ હૈદરાબાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયથી પી.એચડી કરી રહેલા દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની સંસ્થાગત હત્યા અને ઉનામાં ગૌરક્ષક સમિતિના સભ્યો દ્વારા દલિત યુવકોની મારપીટ કરવી જેવી ઘટનાઓ સામેલ છે.
કોરેગાંવમાં દલિતોનું મોટી સંખ્યામાં એકત્ર થવું એ ભૂતકાળમાંથી પોતાના આદર્શ વ્યક્તિની શોધની ઇચ્છાને દર્શાવે છે.
તેમના પર થયેલો હુમલો તેમની મહત્ત્વકાંક્ષાઓને દબાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો હતો.
જાણકારો કહે છે કે પેશવા બાજીરાવ દ્વિતીયની આગેવાનીમાં ૨૮ હજાર મરાઠા સૈનિકો પૂના પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.રસ્તામાં તેમને ૮૦૦ સૈનિકોથી સજ્જ કંપની ફોર્સ મળી હતી, જે પૂનામાં બ્રિટિશ સૈનિકોની તાકાતમાં વધારો કરવા માટે જઈ રહી હતી.
પેશવાએ કોરેગાંવમાં હાજર કંપની ફોર્સ પર હુમલો કરવા માટે પોતાના ૨ હજાર સૈનિકો મોકલ્યા હતા.કેપ્ટન ફ્રાંસિસ સ્ટૉન્ટનની આગેવાનીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આ ટુકડીએ લગભગ ૧૨ કલાક સુધી પોતાનું સ્થાન જાળવીને રાખ્યું હતું અને મરાઠાઓને સફળ થવા ન દીધા.ત્યારબાદ મરાઠાઓએ નિર્ણય બદલ્યો અને પગલાં પાછા ખેંચી લીધા.કેમ કે તેમને એ વાતનો ડર હતો કે જનરલ જોસફ સ્મિથની આગેવાનીમાં મોટી બ્રિટિશ ટૂકડી ત્યાં પહોંચી જશે અને ત્યારબાદ તેમને માટે યુદ્ધ અઘરૂં બની જશે.આ ટુકડીમાં જે ભારતીય મૂળના સૈનિકો હતા, તેમાં મોટાભાગના મહાર દલિત હતા અને તેઓ બૉમ્બે નેટિવ ફેક્ટરી સાથે સંબંધ ધરાવતા હતા.
દલિત આગેવાનો આ ઘટનાને ભારતના દલિત ઇતિહાસનો મહત્ત્વને ભાગ માને છે જેમ્સ ગ્રાન્ટ ડફે પોતાના પુસ્તક ધ હિસ્ટ્રી ઑફ ધ મરાઠાઝમાં આ લડાઈનો ઉલ્લેખ કર્યો છે.તેમાં લખ્યું છે કે આખી રાત ચાલ્યા બાદ નવા વર્ષની સવારે દસ કલાકે ભીમાના કિનારે પહોંચ્યા, જ્યાં તેમણે લગભગ ૨૫ હજાર મરાઠાઓને રોકીને રાખ્યા હતા.તેઓ નદી તરફ કૂચ કરતા રહ્યા અને પેશવાના સૈનિકોને લાગ્યું કે તેઓ નદી પાર કરવા માગે છે ,પરંતુ તેમણે ગામની આસપાસના ભાગ પર કબજો જમાવ્યો, તેને પોસ્ટમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું.
હેનરી ટી પ્રિંસેપના પુસ્તક હિસ્ટ્રી ઑફ ધ પૉલિટિકલ એન્ડ મિલિટરી ટ્રાઝેક્શન્સ ઇન ઇન્ડિયામાં આ લડાઈમાં મહાર દલિતોથી સજ્જ અંગ્રેજ ટુકડીના સાહસનો ઉલ્લેખ મળે છે.આ પુસ્તકમાં નોંધાયું છે કે કેપ્ટન સ્ટૉન્ટનની આગેવાનીમાં જ્યારે આ ટુકડી પૂના જઈ રહી હતી, તો તેના પર હુમલો થવાની આશંકા હતી.
ખુલ્લી જગ્યાએ ફસાવાના ડરથી બચવા માટે ટુકડીએ કોરેગાંવ પહોંચીને તેને પોતાના કિલ્લામાં પરિવર્તિત કરી દેવાનો નિર્ણય લીધો હતો.જો આ ટુકડી ખુલ્લી જગ્યાએ ફસાઈ ગઈ હોત તો મરાઠાઓના હાથોમાં ખરાબમાં ખરાબ રીતે ફસાઈ શકતી હતી.અલગ અલગ ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર આ લડાઈમાં ૮૩૪ કંપની સૈનિકોમાંથી ૨૭૫નાં મૃત્યુ થયાં હતાં, ઘાયલ થયા હતા અથવા તો ગુમ થઈ ગયા હતા.તેમાં બે અધિકારીઓનો પણ સમાવેશ થયો હતો. ઇન્ફન્ટ્રિના ૫૦ લોકોનાં મૃત્યુ થયા હતા અને ૧૦૫ લોકો ઘાયલ થયા હતા.બ્રિટિશ ધારણાંઓના આધારે પેશવાના ૫૦૦-૬૦૦ સૈનિકોનું આ લડાઈ દરમિયાન મૃત્યુ થયું હતું અથવા તો ઘાયલ થયા હતા.
ઇતિહાસકાર અને વિવેચક પ્રોફેસર ઋષિકેશ કામ્બલે કોરેંગાં ભીમાનો બીજો પક્ષ પણ જણાવે છે.તેમને દાવો છે કે મહારોએ મરાઠાઓને નહીં પણ બ્રાહ્મણોને હરાવ્યા હતા.બ્રાહ્મણોએ છૂત-અછૂતનો નિયમ જબરદસ્તી દલિતો પર થોપી દીધો હતો અને તેનાંથી તેઓ નારાજ હતા.જ્યારે મહારોએ બ્રાહ્મણોને એ અશ્પૃશ્યતા ખતમ કરવા કહ્યું તો તેઓ ન માન્યા અને એ જ કારણોસર તેઓ બ્રિટિશ સેના સાથે મળી ગયા હતા.બ્રિટિશ સૈનિકોએ મહારોને ટ્રેનિંગ આપી અને પેશવાઈ વિરુદ્ધ લડવાની પ્રેરણા આપી હતી.મરાઠા શક્તિના નામ પર જે બ્રાહ્મણોની આગેવાની હતી એ લડાઈ ખરેખર તેમના વિરુદ્ધ હતી અને મહારોએ તેમને હરાવ્યા હતા.આ લડાઈ મરાઠાઓ વિરુદ્ધ તો હતી જ નહીં.કામ્બલે કહે છે કે મહારો અને મરાઠાઓ વિરુદ્ધ કોઈ મતભેદ કે ઝઘડો હતો, તેવું ઇતિહાસમાં ક્યાંય નથી. જો બ્રાહ્મણ છૂત-અછૂત ખતમ કરી દેતા તો એ લડાઈ કદાચ થઈ જ ન હોત.એ અંતિમ પેશવા શક્તિ હતી અને બ્રિટિશ તેમને હરાવવા માગતા હતા. તે જ કારણોસર બ્રિટિશ સેનાએ મહારોને પોતાની સાથે ભેળવી દીધા હતા અને પેશવા રાજ ખતમ કરી દીધું હતું.જે ઇતિહાસકાર મહારો અને પેશવા સેના વચ્ચે થયેલા આ યુદ્ધને વિદેશી અંગ્રેજો વિરુદ્ધ ભારતીય શાસકોના યુદ્ધ તરીકે જુએ છે, તથ્યાત્મક રૂપે તેઓ ખોટા નથી.પરંતુ જાણકારો માને છે કે મહારો માટે આ અંગ્રેજોની નહીં, પણ પોતાની અસ્મિતાની લડાઈ હતી.વર્ણવ્યવસ્થાથી બહાર મનાતા અછૂતો સાથે જે વ્યવ્હાર પ્રાચીન ભારતમાં થતો હતો, તે વ્યવહાર પેશવા શાસકોએ મહારો સાથે કર્યો હતો.ઇતિહાસકારોએ ઘણી જગ્યાએ વિવરણ આપ્યું છે કે નગરમાં પ્રવેશ કરતા સમયે મહારોએ પોતાની કમરમાં એક ઝાડુ બાંધીને ચાલવું પડતું હતું.તેનાથી તેમના પ્રદૂષિત અને અપવિત્ર પગના નિશાન ઝાડુથી સાફ થતા જાય.તેમણે પોતાના ગળામાં વાસણ પણ લટકાવવા પડતા હતા જેથી તેઓ તેમાં થૂંકી શકે અને તેમના થૂંકથી કોઈ સવર્ણ પ્રદૂષિત અને અપવિત્ર ન થઈ જાય.તેઓ સવર્ણોના કુવા કે પોખરમાંથી પાણી લેવાનું વિચારી પણ શકતા ન હતા.

Related posts

धमाकेदार जोक्स

aapnugujarat

सरकार की दो अच्छी पहल

editor

कश्मीर : ट्रंप की मध्यस्थता ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1