સોમનાથની મુલાકાતે જનાર સહેલાણીઓ નજીકનાં કુદરતી સૌંદર્ય ધરાવતા સાસણ-ગિરનારની મુલાકાતે પણ જતા હોય છે ત્યારે આવા લોકો માટે નવું એક સ્થળ સોમનાથની નજીક જ આવેલું છે. વેરાવળ તાલુકાનાં સવની ગામે ધાધરીય મા ખોડીયારનું મંદિર આવેલું છે. અહીંનો હિરણ નદી પર આવેલો આ ધોધ ખુબજ પ્રખ્યાત છે પણ માત્ર સ્થાનિક કક્ષાએ. નદીમાં ઘોડાપૂર આવે ત્યારનું દૃશ્ય નિહાળવા આસપાસનાં વિસ્તારમાંથી લોકો અચૂક અહીં પહોંચી જાય છે. સોમનાથ આવતા ટુરિસ્ટો માટે આ એક નજીકનું ડેસ્ટીનેશન ગણાય ખરું.
(તસવીર/અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)