Aapnu Gujarat
खेल-कूद

પંજાબની હાર બાદ ભડકી પ્રીતિ ઝિંટા, સેહવાગ સાથે ઝઘડી પડી !

આઇપીએલ સીઝન-૧૧માં મંગળવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને ૧૫ રનથી હરાવ્યું હતું. મંગળવારે રમાયેલી મેચમાં પંજાબે પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૮ રનના સ્કોરે મર્યાદિત રાખ્યું.રાજસ્થાન તરફથી સૌથી વધુ રન જોઝ બટલરે(૮૨) બનાવ્યા. જોકે, આમ છતા પંજાબના બોલર્સે રોયલ્સને મોટો સ્કોર બનાવવા ન દીધો. પંજાબ તરફથી એન્ડ્ર્યૂ ટાઈએ ૪ અને મુજિબ-ઉર-રહેમાને ત્રણ વિકેટ ઝડપી.૧૫૯ રનનો ટાર્ગેટ પંજાબ માટે આસાન લાગી રહ્યો હતો. ખાસ કરીને જ્યારે તેના બંને ઓપનર કે એલ રાહુલ અને ક્રિસ ગેઈલ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યાં હતા. જોકે, ત્રીજી ઓવરના પ્રથમ બોલે જ ગેઈલની વિકેટ પડી અને પછી વિકેટોનો સિલસિલો ચાલુ થઈ ગયો.પંજાબની હાર બાદ કૉ-ઓનર પ્રીતિ ઝિંટા એટલી ગુસ્સામાં દેખાઈ કે, તે મેન્ટોર વીરેન્દ્ર સેહવાગ સાથે ઝઘડી પડી. જોકે, આ બધું એટલી બધી ગંભીરતા સાથે બન્યું નહોતું પણ મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર ટીમની હારથી પ્રીતિ ખૂબ જ નાખુશ હતી.બીજી તરફ રાહુલ એક છેડો સાચવીને ઊભો રહ્યો પણ તેને અન્ય કોઈ બેટ્‌સમેનનો સપોર્ટ મળી શક્યો નહીં. રાહુલ છેક સુધી અણનમ રહ્યો અને ૯૫ રનની ઈનિંગ રમી પરંતુ તે ટીમને જીતાડી શક્યો નહીં.

Related posts

हम पावरप्ले में बेहतर प्रदर्शन करना चाहते हैं : एशवेल प्रिंस

editor

Cantor Fitzgerald U-21 International 4-Nations tournament: India beats Canada by 2-0

aapnugujarat

विश्व कप सेमीफाइनल में पहुंचने की उम्मीद नहीं छोड़ी है : मुर्तजा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1