રિઝર્વ બેન્કે કહ્યું છે કે 2019-20ના નાણાંકીય વર્ષ દરમિયાન જાહેર ક્ષેત્રની 18 બેન્કોની કુલ 1.48 લાખ કરોડની છેતરપિંડીનો સામનો કરવો પડ્યો છે.
કઈ બેન્કે કેટલા રૂપિયા ગુમાવ્યાં:-
- યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ ૪૨૪ કેસમાં ૯૩૧૬.૮૦ કરોડ
- બેન્ક ઓફ ઇન્ડિયાએ ૨૦૦ કેસમાં ૮૦૬૯.૧૪ કરોડ
- કેનેરા બેન્કે ૨૦૮ કેસમાં ૭૫૧૯.૩૦ કરોડ
- ઇન્ડિયન ઓવરસીઝ બેન્કે૨૦૭ કિસ્સામાં ૭૨૭૫.૪૮ કરોડ
- અલ્હાબાદ બેન્કે ૮૯૬ કેસમાં ૬૯૭૩.૯૦ કરોડ
- યુકો બેન્કે ૧૧૯ કેસમાં ૫૩૮૪.૫૩ કરોડ
- ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સે ૩૨૯ કિસ્સામાં ૫૩૪૦.૮૭ કરોડ
- સિન્ડિકેટ બેન્કે ૪૩૮ કેસમાં ૪૯૯૦.૦૩ કરોડ
- કોર્પોરેશન બેન્કે ૧૨૫ કેસમાં ૪૮૧૬.૬૦ કરોડ
- સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૯૦૦ કેસમાં ૩૯૯૩.૮૨ કરોડ
- આંધ્રા બેન્કે ૧૧૫ કેસમાં ૩૪૬૨.૩૨ કરોડ
- બેન્ક ઓફ મહારાષ્ટ્રે ૪૧૩ કેસમાં ૩૩૯૧.૧૩ કરોડ
- યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૮૭ કેસમાં ૨૬૭૯.૭૨ કરોડ
- ઇન્ડિયન બેન્કે ૨૨૫ કેસમાં ૨૨૫૪.૧૧ કરોડ
- પંજાબ એન્ડ સિંધ બેન્કે ૬૭ કેસમાં ૩૯૭.૨૮ કરોડ
બેન્ક સાથે છેતરપિંડીના કુલ 12,461 કેસ બહાર આવ્યા છે. આરટીઆઈ હેઠળ મંગાયેલા જવાબમાં રિઝર્વ બેન્કે આ માહિતી આપી છે. સૌથી વધુ શિકાર જાહેર ક્ષેત્રની ટોચની બેન્ક સ્ટેટ બેન્ક બની છે. તેની સાથે 6964 કેસ દ્વારા 44612 કરોડની છેતરપિંડી થઈ છે.