પાટણ જિલ્લાના કાંસા ગામે ઠાકોર સમાજ દ્વારા જોધલપીર ધામ કેસરડીના મહંતશ્રી લાલદાસ બાપુનું ભવ્ય સામૈયું તથા સન્માન કરવામાં આવ્યું હતું. ઠાકોર સમાજના આગેવાનો તેમજ કાંસા ગામના એડવોકેટ દ્વારા ભોજન કાર્યક્રમ તથા સંતોનું સન્માન સાથે કરાયું હતું. સંતવાણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં સમગ્ર પરગણા વણકર સમાજના પ્રમુખ ભીખાભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
previous post