Aapnu Gujarat
गुजरात

ભીલડી ખાતે રોજગાર ભરતી મેળો તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ

ભીલડી બી. એમ. મહેશ્વરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજરોજ રોજગાર ભરતી મેળો તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય રોજગાર અને તાલીમ નિયામકશ્રી કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં આજ સવારથી વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં રોજગાર માટે લાઇનો લાગી હતી તેમાં ૫૦૦થી વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રોજગારી મેળામાં છ થી વધારે કંપનીએ ભાગ લીધો હતો જેમાં ૫૦૦થી વધારે વિદ્યાર્થીઓનાં ઈન્ટરવ્યુ પણ લીધા હતા જેમાં ક્વોલિફાયડ થયેલા વિદ્યાર્થીઓને કંપની દ્વારા જાણ કરવામાં આવશે. આ ભરતી મેળામાં બેરોજગાર વિદ્યાર્થીઓને વધુમાં વધુ રોજગારી મળે તે હેતુથી આવા ભરતી મેળાનું આયોજન કરવામાં આવે તો બેરોજગારીનું પ્રમાણ ઘટી શકે તેમ છે.


(તસ્વીર / અહેવાલ રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

સ્વામી અવધેશાનંદ મહારાજ ૨૭મીએ અમદાવાદ આવશે

aapnugujarat

બિલિયા ગામમાં લીંબચ માતાના રથનું ભવ્ય સ્વાગત

aapnugujarat

પાવાગઢના વડા તળાવ ખાતે યોજાતો પંચમહોત્સવ નહીં યોજાય

editor

Leave a Comment

UA-96247877-1