પાકિસ્તાનમાં ફાંસીની સજા મેળવનાર Indian કુલભૂષણ જાધવને લઈને વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ કહ્યું હતું કે કુલભૂષણ જાધવ બેગુનાહ Indian છે એન તેમનું ઈરાનથી અપહરણ કરાયું છે. તેઓ એક નિવૃત્ત નૌસેનાના અધિકારી છે અને આ વાત પાકિસ્તાનને એક વર્ષ પહેલા જ જણાવી દેવામાં આવી હતી.
બાગલેએ સંસદમાં સુષ્મા સ્વરાજના નિવેદનના સમર્થન કરતા કહ્યું હતું કે પાકિસ્તાનની વાર્તા ભરોસાને પાત્ર નથી અને હાસ્યાસ્પદ છે. આ વૈશ્વિક નિયમોના ઉલ્લંઘનની ઉપરાંત માનવ અધિકારોનું ઉલ્લંઘન પણ છે. જો પાકિસ્તાન કુલભૂષણ જાધવને સજા આપશે તો તેના પરિણામો માટે તૈયાર રહેવું પડશે.
બાગલેએ વધુમાં કહ્યું હતું કે, ભારતની પાસે આ વાતની કોઈ જાણકારી નથી કે કુલભૂષણ જાધવ ક્યાં છે, અને કેવી હાલતમાં છે, જયારે ભારત હવે આ મામલાને લઈને ૧૩ વખત જાણકારી માંગી ચુક્યું છે.