રાજકારણમાં પોતાના અનોખા અંદાજ માટે મશહૂર ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ આજે સ્પષ્ટતા કરી નાખી કે તેઓ કોઈ પણ સંજોગોમાં આગામી લોકસભા ચૂંટણીમાં પટણા સાહિબથી જ મેદાનમાં ઉતરશે. તેમણે કહ્યું કે ’સિચ્યુએશન ભલે ગમે તે હોય, લોકેશન તો તે જ રહેશે.’ ફિલ્મોમાં પોતાના રૂઆબદાર અવાજમાં ’ખામોશ’ કહીને વાહ વાહ મેળવતા શત્રુઘ્ને પત્ની પૂનમ સિન્હાને ચૂંટણીના મેદાનમાં ઉતારવા અંગે એમ કહીને સસ્પેન્સ ઊભું કર્યું કે સમય આવવા દો, બધુ ખબર પડી જશે.
રાજકીય ગરમાવા વચ્ચે તાજેતરમાં લખનઉ આવેલા શત્રુઘ્ન સિન્હાએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે લાંબી વાતચીત કરીને અનેક અટકળોને હવા આપી હતી. જો કે પાર્ટી તરફથી આ મુલાકાતને એક શિષ્ટાચાર મુલાકાત ગણાવવામાં આવી હતી અને શત્રુઘ્ન સિન્હાએ પણ આ મુદ્દે મીડિયા સાથે કોઈ વાત કરી નહતી.
previous post