Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

રાહુલે રંગ બદલવામાં કાચિંડાને પણ પાછળ દીધો : સાક્ષી મહારાજ

ઉન્નાવથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સરખામણી કાચીંડા સાથે કરી છે. તેમણે કહ્યું કે રંગ બદલવામાં રાહુલ ગાંધીએ કાચીંડાને પણ પાછળ છોડી દીધો છે. ઉલ્લેખનીય છે કે, સાક્ષી મહારાજ પ્રિયંકા અને રાહુલ ગાંધીના કુંભ સ્નાન પર પૂછેલા સવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ ક્યારેક જનોઈ ધારી પંડિત બની જાય છે તો ક્યારેક શિવ ભક્ત તો ક્યારેક કંઈક બીજું જ કરવા લાગે છે. તેમણે કહ્યું કે હવે રાહુલ ગાંધી અને તેમની કોંગ્રેસ સમજી ગઈ છે કે જે હિંદુ હિતની વાત કરશે, તે જ દેશ પર રાજ કરશે. માટે ભેષ બદલી રહ્યા છે.
રામ મંદિ પર યોગી આદિત્યનાથના નિવેદન પર સાક્ષી મહારાજે કહ્યું કે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યના મુખ્યમંત્રી છે. આના માટે તેમની વાનર સેના જ કાી છે. ૨૪ કલાકમાં રામ મંદિરનું નિર્માણ થઈ જશે. જણાવી દઈએ કે, સીએમ યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું હતું કે ૨૪ કલાકમાં રામ મંદિરની સમસ્યાનું સમાધાન થઈ જશે.

Related posts

आठ नवंबर को कालाधन विरोधी दिवस मनाएगी बीजेपी

aapnugujarat

લોકસભામાં શ્રેષ્ઠ સાંસદોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

શેરબજારમાં કર્ણાટક ચૂંટણીના પરિણામની અસર રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1