Aapnu Gujarat
ताजा खबरव्यापार

મોનિટરી પોલિસીમાં રેપો અને રિવર્સ રેપોરેટ યથાવત

રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. ધારણા પ્રમાણે જ ચાવીરુપ રેપોરેટ ૬.૫ ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય કરાયો હતો. સતત બીજી વખત વ્યાજદર સાથે કોઇ ચેડા કરવામાં આવ્યા નથી. રિવર્સ રેપોરેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે. સીપીઆઈ ફુગાવા અને અન્ય બાબતોને ધ્યાનમાં લઇને આરબીઆઈ દ્વારા વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવે છે. જો કે, આ યોજાયેલી બેઠકમાં એસએલઆરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે, રિઝર્વ બેંકનું કહેવું છે કે, એસએલઆરમાં ૧૮ ટકાની સપાટી સુધી ન પહોંચે ત્યાં સુધી તેમાં દર ત્રિમાસિક ગાળામાં ૨૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરાશે. જીડીપી ગ્રોથનો અંદાજ પણ ૭.૪ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે જ્યારે ૨૦૧૯-૨૦માં પ્રથમ છ મહિનાના ગાળા દરમિયાન જીડીપી ગ્રોથ ૭.૫ ટકા રાખવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ની આ પાંચમી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતા. હવે આગામી બેઠક સાતમી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે યોજાશે. ઓગસ્ટ મહિનામાં રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેંક દર ત્રણ મહિનામાં આર્થિક નીતિઓની સમીક્ષા કરે છે. આ ગાળા દરમિાયન વ્યાજદરો અથવા તો પોલિસી રેટ ઘટાડવા અથવા વધારવાના સંદર્ભમાં નિર્ણય કરવામાં આવે છે. આ જાહેરાતની સાથે અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ. બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એક દિવસથી વધારેની હોતી નથી. આના માટે બેંક સામાન્યરીતે રિઝર્વ બેંકથી એક દિવસ માટે ઓવરનાઇટ લોન મેળવે છે. આ લોન ઉપર રિઝર્વ બેંકને તેમને વ્યાજ ચુકવવાની જરૂર હોય છે. જે વ્યાજ ચુકવવાની જરૂર હોય છે તેને રેપોરેટ કહેવામાં આવે છે. બીજી બાજુ રિવર્સ રેપોરેટ આનાથી બિલકુલ અલગ હોય છે. બેંકોની પાસે દિવસભર કામકાજ બાદ મોટી રકમ બચી જાય છે. બેંક આ રકમ રિઝર્વ બેંક પાસે રાખી શકે છે જેના ઉપર તેમને વ્યાજ મળે છે જે રકમ ઉપર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે. આવી જ રીતે તમામ બેંકો માટે જરૂરી હોય છે કે, તે પોતાની પાસેના કુલ કેશ રિઝર્વનો એક ચોક્કસ હિસ્સો બેંક પાસે જમા રાખે અને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. ક્યારેક એવું બને છે કે, એક સાથે અનેક જમા કરનાર લોકો પોતાના પૈસા ઉપાડવા માટે બેંકોમાં પહોંચી જાય છે. આવી સ્થિતિમાં બેંક ડિફોલ્ટ ન કરે તે માટે આ રકમ લેવામાં આવે છે. આવી જ રીતે એસએલઆર પણ મહત્વપૂર્ણ બાબાત છે. કોમર્શિયલ બેંકો માટે પોતાના દરેક દિવસના કારોબારના અંતમાં રોકડ રકમ, સોના-ચાંદી અને સરકારી સિક્યુરિટીમાં રોકાણ તરીકે એક મોટી રકમ રિઝર્વ બેંકની પાસે રાખવાની જરૂર હોય છે. જે તે કોઇપણ ઇમરજન્સી દેવાદારીને પૂર્ણ કરવા માટે ઉપયોગ કરી શકે છે. જે રેટ ઉપર બેંક પોતાના પૈસા સરકારની પાસે રાખે છે તેને એસએલઆર કહેવામાં આવે છે. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો હતો જે બે વર્ષની ઉંચી સપાટી છે. ફુગાવાને કાબૂમાં લેવાના હેતુસર આ પગલા લેવામાં આવી રહ્યા છે. રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ ભારતીય રિઝર્વ બેંકની પાંચમી ઓક્ટોબરના દિવસે તેની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા (એમપીસી)ની બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. ધારણાની બિલકુલ વિરુદ્ધ જઇને આરબીઆઈએ રેપોરેટને ૬.૫૦ ટકાના દરે યથાવત રાખ્યા હતા. આરબીઆઈએ જીડીપી ગ્રોથનો અંદાજ પણ ૭.૪ ટકાના દરે યથાવત રાખ્યો હતો. તે પહેલા બે નાણાંકીય નીતિ સમીક્ષામાં રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રેપોરેટને ૬.૫૦ ટકા અને રિવર્સ રેપોરેટ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરીની બિલકુલ વિરુદ્ધમાં આરબીઆઈએ વ્યાજદરમાં કોઇ વધારો કર્યો ન હતો. તમામ અર્થશાસ્ત્રીઓ માની રહ્યા હતા કે, વ્યાજદરમાં વધારો કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરબીઆની પોલિસી સમીક્ષાઆજે જારી કરવામાં આવી હતી. આરબીઆઈની એમપીસીમાં કોણ કોણ સભ્યો છે તેને લઇને હમેશા ચર્ચા થતી રહી છે. એમપીસીનું નેતૃત્વ આરબીઆના ગવર્નર ઉર્જિત પટેલ કરી રહ્યા છે. આ નીતિ સમિતિમાં જે સભ્યો રહેલા છે તેમાં ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય, ભારતીય સંસ્થાના પ્રોફેસર ચેતન ઘાટે, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિકના પ્રોફેસર પામી દુઆ અને રવિન્દ્ર ધોળકિયાનો સમાવેશ થાય છે. આ તમામ લોકો પોલિસી સમીક્ષા જારી કરતી વેળા વ્યાપક વિચારણા બાદ નિર્ણય કરે છે. સર્વંસમતિથી તમામ નિર્ણય કરવામાં આવે છે. બેઠકમાં મૂલ્ય સ્થિરતાના પાસા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવ હતી. એમપીસીમાં સામેલ રહેલા સભ્યોના ઢોળકિયાની રજૂઆત પણ જોરદાર રહે છે. નિર્ણય કરતી વેળા તમામ નિષ્ણાતો વિસ્તારપૂર્વક ચર્ચા કરે છે. પોતાના અભિપ્રાય પણ આપે છે. સર્વસંમતિથી નિર્ણય થાય છે.

Related posts

ડોકલામ વિવાદ વચ્ચે ચીની સેનાનું શક્તિ પ્રદર્શન : યુદ્ધ માટે તૈયાર રહો : જિનપિંગ

aapnugujarat

सीएसआईआर और एनबीआरआई की इजाद की गइ डायाबिटीज की आयुर्वेदिक दवा टॉप-२० दवाओं में शामिल

aapnugujarat

ચૂંટણી પંચે ઇવીએમ મામલે ૧૨ મેએ બોલાવી સર્વપક્ષીય બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1