રાફેલ વિમાન કરારને લઇને કોંગ્રેસ અને મોદી સરકારની વચ્ચે આરોપ પ્રત્યારોપનો સિલસિલો શરૂ છે. ત્યાં એવામાં વચ્ચે રક્ષામંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ નીત યૂપીએ સરકાર પર મોટો પ્રહાર કર્યો છે. તેઓએ કહ્યું કે, ખાનગી બેંકોનાં ફસાયેલા દેવાની સમસ્યાને માટે યૂપીએ સરકાર જવાબદાર છે.
સીતારમણે ભગોડા કારોબારી વિજય માલ્યા અને નીરવ મોદીની તરફ ઇશારો કરતા કહ્યું કે, વગર તપાસ કર્યે દેવું આપવામાં આવ્યું કે જેનાંથી પરિણામ સ્વરૂપ દેવું લેનારાઓએ સમય પર ચૂકવણી નહીં કરી અને દેશ છોડીને ભાગી ગયાં. બેંકો પાસે હવે ઋણ આપવા માટે પૈસા નથી. રક્ષામંત્રી કોર્પોરેટ મામલા અને નાણાંકીય રાજ્યમંત્રી રહી ચૂકેલ છે. આ સિવાય તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ રાજકીય મંત્રી (સ્વતંત્ર પ્રભાર)નાં રૂપમાં પણ કામ કરી ચૂકેલ છે.
રક્ષામંત્રીએ જણાવ્યું કે, આ કારણે સાર્વજનિક અને ખાનગી બેંકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીતિ અંતર્ગત બેંકોને ઋણ આપવાની અનુમતિ છે પરંતુ બેંક દેવું આપવા માટે તૈયાર નથી કેમ કે તેઓની પાસે પૈસો નથી. આવું કેમ થયું. તેઓએ એવો આરોપ લગાવ્યો કે વગર કોઇ આકારણી અને તપાસ પરખનાં પરિચિતોને ઋણ વહેંચવામાં આવ્યું. આ સાંઠગાંઠવાળો પૂંજીવાદ છે કે જેને ગઇ સંપ્રગ સરકારનાં કાર્યકાળમાં અંજામ આપવામાં આવ્યો.
previous post