જમ્મુકાશ્મીર અને હિમાચલ તેમજ ઉતરાખંડમાં પારો માઇનસમાં પહોંચી ગયો છે ત્યારે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના મેદાની ભાગોમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે લોકો પરેશાન થયેલા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. પારો મોટા ભાગના વિસ્તારોમાં પાંચથી પણ નીચે પહોંચી ગયો છે. ધુમ્મસની ચાદરના કારણે સાવચેતીના પગલા રૂપે મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવામાં આવી છે. જેથી લોકો સ્ટેશનો પર તીવ્ર ઠંડી વચ્ચે અટવાયા છે. બાજુ જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં માઇનસમાં તાપમાન છે. કાશ્મીરમાં હાલ ૪૦ દિવસમાં ચિલ્લાઈ કાલનનો ગાળો ચાલી રહ્યો છે. આ ગાળા દરમિાયન હિમવર્ષાની સંભાવના સૌથી વધારે રહે છે. હવામાન વિભાગ દ્વારા આગાહીમાં કહેવામાં આવ્યુ છે કે હાલમાં કાતિલ ઠંડીના કારણે લોકોને રાહત મળશે નહી. કેટલાક રાજ્યોમાં છાવણી પણ ગરીબ લોકો માટે શરૂ કરવામાં આવી છે. જેમાં ગરીબ લોકોને ઠંડીથી બચવા માટે રાખવામાં આવી રહ્યા છે. રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં પણ પારો ચારથી સાત વચ્ચે નીચે પહોંચ ગયો છે. લોકો મોડે સુધી ઘરમાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહીમાં કહેવામાં આવ્યુ છે કે હાલમાં કાતિલ ઠંડીના કારણે લોકોને રાહત મળશે નહી. કેટલાક રાજ્યોમાં છાવણી પણ ગરીબ લોકો માટે શરૂ કરવામાં આવી છે. જેમાં ગરીબ લોકોને ઠંડીથી બચવા માટે રાખવામાં આવી રહ્યા છે. રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં પણ પારો ચારથી સાત વચ્ચે નીચે પહોંચ ગયો છે. લોકો મોડે સુધી ઘરમાં જોવા મળી રહ્યા છે. ભારતમાં કાતિલ ઠંડી યથાવત રીતે જારી રહ છે. પારો મોટા ભાગના રાજ્યોમાં નીચી સપાટી પર પહોંચી ગયો છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત જુદા જુદા રાજ્યોમાં ઠંડીના કારણે મોતનો આંકડો વધીને હવે ૧૨૫ ઉપર પહોંચી ગયો છે.જનજીવન સંપૂર્ણ પણે ઠપ થયેલુ છે. મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવામાં આવતા યાત્રીઓને સ્ટેશન પર રાત્રી ગાળવાની ફરજ પડી રહી છે. કાશ્મીર હાલમાં ૪૦ દિવસના સૌથી ઠંડીના ગાળા ચિલાઈકાલનમાંથી પસાર થઇ રહ્યું છે. આ ગાળો ૩૧મી જાન્યુઆરીના દિવસે પૂર્ણ થશે. બીજી બાજુ મેદાનની ભાગોમાં પણ હાલત કફોડી છે. હરિયાણાના નારનોલમાં ૦.૫ ડિગ્રી તાપમાન થયું છે. સ્કૂલ કોલેજોને બંધ રાખવાની ફરજ પડી છે. ઉત્તર પ્રદેશમાં વધુ બેના મોત થયા છે. આની સાથે જ મોતનો આંકડો ૧૨૫થી ઉપર પહોંચ્યો છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. દેશના જુદા જુદા ભાગોમાં કાતિલ ઠંડીની સાથે સાથે તીવ્ર ધુમ્મસની ચાદર હાલમાં છવાયેલી છે. આના કારણે દિલ્હી અને એનસીઆરમાં લોકોની હાલત કફોડી બનેલી છે. દિલ્હીથી ચાલતી અનેક ટ્રેનો લેટ થઇ છે. જ્યારે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં પણ લોકોની હાલત કફોડી બનેલી છે. ઉત્તર ભારતમાં શીત લહેર છે.કાશ્મીરમાં ગુલમર્ગ, પહેલગામ, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ હિમવર્ષા થઇ છે. કાશ્મીરના કારગીલમાં તાપમાન શુન્ય કરતા નીચે પહોંચીને માઇનસ ૧૬.૬ ડિગ્રી નીચે પહોંચી ગયુ છે. ઉત્તર પ્રદેશમાં કાતિલ ઠંડીના કારણે ગઇકાલે ૭૦ના મોત થયા બાદ વધુ ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. જો કે, આને હજુ સુધી સમર્થન મળ્યું નથી. કાશ્મીરમાં હજુ વર્ષા અને હિમવર્ષા થઇ રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે.બાજુ જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં માઇનસમાં તાપમાન છે. કાશ્મીર ખીણમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે. પાણીના મોટાભાગના સોર્સ પર બરફ જામી ગઈ છે જેમાં દાલ લેક સરોવરનો સમાવેશ થાય છે. શ્રીનગરમાં માઇનસ ૬ ડિગ્રી તાપમાન થયું છે. લેહ અને કારગિલમાં સૌથી વધુ અનુભવ ઠંડીનો લોકોએ કર્યો છે.
previous post