તાલાળા નગરપાલિકા સંચાલિત હાઈસ્કુલ ખાતે તા. ૨૨-૦૯-૧૭ ના રોજ સવારે ૧૧ કલાકે બેરોજગાર વિર્ધાર્થીઓ માટે જોબફેર યોજાશે. રીલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરંસ જુનાગઢ દ્રારા ૨૫ થી ૩૫ વય મર્યાદા ધરાવતા બેરોજગાર ઉમેદવારોની સેલ્સ ઓફિસર અને એસ.બી.આઇ લાઇફ ઇન્સ્યુરંસ વેરાવળ દ્રારા ૨૦ થી ૪૦ વય મર્યાદા ધરાવતા ઉમેદવારોની એડવાઇજરમાં ભરતી કરવામાં આવશે. આ જોબફેરમાં વધુમાં વધુ ઉમેદવારોને લાભ લેવા રોજગાર અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.