વર્ષ 2020 ફિલ્મ અને ટીવી જગત માટે ખરાબ રહ્યું છે.. મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા 32 વર્ષીય એક્ટર આશુતોષ ભાકરેએ મહારાષ્ટ્રના નાંદેડમાં આવેલા પોતાના ઘરમાં 29 જુલાઈના રોજ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
આશુતોષ છેલ્લાં કેટલાક દિવસથી ડિપ્રેશનમાં હતો. ઉલ્લેખનીય છે કે, આશુતોષ ભાકરેએ મરાઠી એક્ટ્રેસ મયુરી દેશમુખ સાથે વર્ષ 2016માં લગ્ન કર્યાં હતાં.
આશુતોષના માતા-પિતા બુધવાર, 29 જુલાઈના બપોરના સમયે નાંદેડના ગણેશ નગર સ્થિત ઘરમાં આવ્યા હતા. અને તેમણે દીકરાને લટકતી હાલતમાં જોયો હતો.
સૂત્રો અનુસાર, આશુતોષ છેલ્લાં કેટલાંક દિવસથી ડિપ્રેશનમાં હતો. જોકે, પોલીસ હાલમાં સુસાઈડ કેસની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આશુતોષે ‘ભાકર’, ‘ઈચાર ઠરલા પક્કા’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. આશુતોષ મરાઠી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ હતું.