ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે ખેલાડીઓની હરાજી ચેન્નઈમાં થવાની છે. તમામ ફ્રેન્ચાઇઝી હરાજી માટે તૈયાર છે. આ વર્ષે ૬૧ જગ્યા માટે કુલ ૨૯૨ ખેલાડીઓ હરાજી માટે મેદાનમાં છે. સૌથી વધુ બજેટ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ પાસે છે. આ વખતે કુલ ૧૨ જેટલા ખેલાડીઓની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા છે, જેમાં બે ભારતીય ખેલાડીઓ સામેલ છે. તો દર વખતની જેમ આ વખતે પણ કેટલાક યુવા ખેલાડીઓ પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. કોરોનાને કારણે આ વખતે મિની ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
૨૯૨ ખેલાડીઓ ૬૧ ખાલી જગ્યાઓ માટે ભાગ લેશે. આઈપીએલ ૨૦૨૧ની હરાજી માટે કુલ ૧૧૧૪ ક્રિકેટરોએ નોંધણી કરાવી હતી. ત્યારબાદ ફ્રેન્ચાઇઝીએ શોર્ટ લિસ્ટ કરીને ૨૯૨ ખેલાડીઓને ફાઇનલ કર્યા છે. જેમાં કુલ ૧૧ જેટલા ખેલાડીઓની બેઝ પ્રાઇઝ ૨ કરોડ છે, જેમાં બે ભારતીય ખેલાડીઓ પણ છે.